ઉંમર માત્ર એક નંબર છે: જેનિલિયા દેશમુખ
જેનિલિયા દેશમુખનું કહેવું છે કે વધતી ઉંમર એ માત્ર એક નંબર છે. તેણે ‘તુઝે મેરી કસમ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ પણ હતો. રિતેશ સાથે ૨૦૧૨માં લગ્ન કર્યા બાદ અને બાળકોની માતા બન્યા બાદ જેનિલિયા હવે ફરીથી ઍક્ટિવ થઈ રહી છે.
એ વિશે જેનિલિયાએ કહ્યું હતું કે ‘હું ખુશ છું કે હું લાઇફના અનેક તબક્કાઓમાંથી પસાર થઈ છું. હું એવી મહત્ત્વાકાંક્ષી હતી કે મારા માટે ફિલ્મો જ મારી દુનિયા હતી. લગ્ન કર્યા બાદ અને બાળકોને સંભાળ્યા બાદ હું ફરીથી કામમાં પાછી ફરી રહી છું. કામમાં ફરીથી સક્રિય થવું અને પોતાની જાત વિશે કંઈક નવું શોધી કાઢવું સારું લાગે છે. મારા માટે ઉંમર માત્ર એક નંબર છે. સાથે જ વધતી ઉંમર પણ એક સારી બાબત છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો: પોતાની લાઇફથી ફૅન્સને અવગત કરાવવા દિશા પટણીએ લૉન્ચ કરી યુટ્યુબ ચૅનલ