એક ગેંગ મારી વિરુદ્ધ અફવાઓ ફેલાવતી હોવાથી મને કામ નથી મળતું: એઆર રહેમાન
ફાઈલ તસવીર
ઓસ્કાર વિજેતા મ્યૂઝિક દિગ્દર્શક અને તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ 'દિલ બેચારા'માં સંગીત આપનાર એ આર રહેમાન (A R Rahman)એ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ગેંગ તેમના વિરુદ્ધ અફવાઓ ફેલાવી રહી છે અને આ જ કારણે તેમને કામ નથી મળી રહ્યું.
રેડિયો મિર્ચીને આપેલા ઈન્ટરવ્યૂમાં મ્યૂઝિક દિગ્દર્શક એ આર રહેમાનને પુછવામાં આવ્યું હતું કે, તમિળ સિનેમાની તુલનામાં હિન્દી ફિલ્મોમાં શા માટે ઓછું કામ કરે છે? ત્યારે તેમણે કહ્યું હતું કે, હું તે ક્યારેય સારી ફિલ્મને ના નથી પાડતો પરંતુ મારું માનવું છે કે અહીંયા એક ગેંગ છે અને આ ગેંગ મારા વિશે ખોટી વાતો તથા અફવાઓ ફેલાવે છે. જ્યારે મુકેશ છાબરા મને મળવા આવ્યા ત્યારે માત્ર બે દિવસમાં તેમણે મણે ચાર ગીતો આપ્ય હતા. મુકેશ છાબરાએ જ મને જણાવ્યું હતું કે, ઘણા લોકોએ મુકેશને મને મળવાની ના પાડી હતી.
ADVERTISEMENT
વધુમાં એ આર રહેમાને કહ્યું હતું કે, હવે મને એ વાત સમજાઈ ગઈ કે શા માટે મને હિન્દી ફિલ્મમાં ઓછું કામ મળે છે અને શા માટે સારી ફિલ્મ મારી પાસે આવતી નથી. હું ડાર્ક ફિલ્મમાં કામ કરું છું અને આખી ગેંગ મારી વિરુદ્ધમાં છે અને તેઓ જાણ બહાર મને નુકસાન પહોંચાડી રહ્યાં છે. લોકો મારી પાસે સારા કામની અપેક્ષા રાખતા હોય છે પરંતુ એક બીજી ગેંગ મને કામ આપતા અટકાવે છે. પણ ઠીક છે, કારણ કે હું નસીબમાં માનું છે અને તે માનું છું કે ભગવાનની મરજીથી જ બધું થાય છે. તેથી જે ફિલ્મ મળે છે તે રીતે કામ કરું છું.