ગદરની સીક્વલમાં તારા અને શકીનાની સ્ટોરીને આગળ ધપાવવામાં આવશે
'ગદર'
‘ગદર : એક પ્રેમ કથા’ની સીક્વલમાં તારા અને શકીનાની સ્ટોરીને આગળ લઈ જવામાં આવશે. ૨૦૦૧માં આવેલી આ બ્લૉકબસ્ટર ફિલ્મની સીક્વલ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. અનિલ શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મનો ઇન્ડિયાની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મોમાં સમાવેશ થાય છે. ૨૦૦૧માં આ ફિલ્મે ૨૫૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં તારા સિંહનું પાત્ર સની દેઓલે, શકીનાનું પાત્ર અમિષા પટેલે અને તેમના બાળક જીતનું પાત્ર ઉત્કર્ષ શર્માએ ભજવ્યું હતું. આ ફિલ્મની સીક્વલની સ્ટોરી પર છેલ્લાં ૧૫ વર્ષથી કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મને ડિરેક્ટ કરશે શ્રેયસ તલપડે
ADVERTISEMENT
આ ફિલ્મમાં તારા, શકીના અને જીતની સ્ટોરીને આગળ વધારવામાં આવશે. આ સ્ટોરીને ઇન્ડિયા-પાકિસ્તાનના અૅન્ગલ દ્વારા જ આગળ વધારવામાં આવશે. આ ફિલ્મની તમામ કાસ્ટ પહેલી ફિલ્મની જ લેવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરીના આઇડિયા વિશે સની દેઓલ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.