Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગદરની સીક્વલમાં તારા અને શકીનાની સ્ટોરીને આગળ ધપાવવામાં આવશે

ગદરની સીક્વલમાં તારા અને શકીનાની સ્ટોરીને આગળ ધપાવવામાં આવશે

06 May, 2019 10:10 AM IST | મુંબઈ

ગદરની સીક્વલમાં તારા અને શકીનાની સ્ટોરીને આગળ ધપાવવામાં આવશે

'ગદર'

'ગદર'


‘ગદર : એક પ્રેમ કથા’ની સીક્વલમાં તારા અને શકીનાની સ્ટોરીને આગળ લઈ જવામાં આવશે. ૨૦૦૧માં આવેલી આ બ્લૉકબસ્ટર ફિલ્મની સીક્વલ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. અનિલ શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મનો ઇન્ડિયાની સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મોમાં સમાવેશ થાય છે. ૨૦૦૧માં આ ફિલ્મે ૨૫૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં તારા સિંહનું પાત્ર સની દેઓલે, શકીનાનું પાત્ર અમિષા પટેલે અને તેમના બાળક જીતનું પાત્ર ઉત્કર્ષ શર્માએ ભજવ્યું હતું. આ ફિલ્મની સીક્વલની સ્ટોરી પર છેલ્લાં ૧૫ વર્ષથી કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : સ્પોર્ટ્‍સ ડ્રામા ફિલ્મને ડિરેક્ટ કરશે શ્રેયસ તલપડે



આ ફિલ્મમાં તારા, શકીના અને જીતની સ્ટોરીને આગળ વધારવામાં આવશે. આ સ્ટોરીને ઇન્ડિયા-પાકિસ્તાનના અૅન્ગલ દ્વારા જ આગળ વધારવામાં આવશે. આ ફિલ્મની તમામ કાસ્ટ પહેલી ફિલ્મની જ લેવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરીના આઇડિયા વિશે સની દેઓલ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2019 10:10 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK