Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હ્રિતિક રોશને રિયાલિટી શોના પ્રમોશન માટે ફી લેવાની પાડી ના, જાણો કેમ...

હ્રિતિક રોશને રિયાલિટી શોના પ્રમોશન માટે ફી લેવાની પાડી ના, જાણો કેમ...

30 October, 2020 05:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હ્રિતિક રોશને રિયાલિટી શોના પ્રમોશન માટે ફી લેવાની પાડી ના, જાણો કેમ...

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


બૉલિવૂડ એક્ટર હ્રિતિક રોશન ટૂંક સમયમાં અપકમિંગ સિંગિંગ રિયાલિટી શોમાં પ્રમોશન માટે ફી લેવાની ના પાડી દીધી છે. ટૂંક સમયમાં આવનારો રિયાલિટી શો  'તારે જમીન પર'ને રોશન પ્રમોટ કરશે. જોકે આ અભિનેતાને શોનો કન્સેપ્ટ એટલો ગમ્યો કે તેણે પ્રમોશન માટે ફી લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

આ રિયાલિટી શોની ખાસિયત છે કે તેમાં કોઈપણ પ્રકારની એલિમિનેશન પ્રોસેસ નહીં હોય. જેટલા પણ બાળકોએ શોમાં ભાગ લીધો છે તે છેક સુધી રહેશે. મેન્ટર્સ શંકર મહાદેવન, ટોની કક્કર અને જોનીતા ગાંધી આ બાળકોને, તેમના ટેલેન્ટને ટ્રેન કરશે. શોની પ્રમોશનલ સ્ટ્રેટેજી મુજબ, મેકર્સે અમુક બોલિવૂડ એક્ટર્સને આ કન્સેપ્ટ જણાવ્યો જેમાંનો એક હ્રિતિક રોશન છે.



જ્યારે મેકર્સે શોના સપોર્ટ માટે તેનો સંપર્ક કર્યો તો તેને આ કન્સેપ્ટ સાંભળ્યો. તેણે ખુદ આ શોનો પ્રોમો તેના ઘરે થોડા દિવસ પહેલાં શૂટ કર્યો જેમાં તે બાળપણની કવિતા સંભળાવી રહ્યો છે. તેણે આ શોના પ્રમોશન માટે કોઈપણ પ્રકારની ફી નથી લીધી કારણકે તેને શોનો કન્સેપ્ટ ઘણો ગમ્યો હતો કે શોમાં કોઈ એલિમિનેશન પ્રોસેસ નથી. ફી ન લેવાની વાતની મેકર્સ ઘણા અચંબિત થયા.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2020 05:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK