Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચન અને KBCના મેકર્સ વિરુદ્ધ લખનઉમાં નોંધાઈ FIR

અમિતાભ બચ્ચન અને KBCના મેકર્સ વિરુદ્ધ લખનઉમાં નોંધાઈ FIR

03 November, 2020 11:54 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમિતાભ બચ્ચન અને KBCના મેકર્સ વિરુદ્ધ લખનઉમાં નોંધાઈ FIR

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના શો 'કૌન બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati) સિઝન 12ને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. લખનઉમાં અમિતાભ બચ્ચન અને KBCના મેકર્સ વિરુદ્ધ હિન્દૂની લાગણીને ઠેસ પહોંચાડવાના આરોપમાં કેસ ફાઈલ થયો છે. શોના એક એપિસોડ દરમ્યાન આંબેડકર અને મનુસ્મૃતિને લઈને કરાયેલા સવાલ પર જ બિગ બી અને KBCના મેકર્સ પર આ કાર્યવાહી થઈ છે.

'કૌન બનેગા કરોડપતિ' સિઝન 12ના એક એપિસોડમાં સામાજિક કાર્યકર્તા બેજવાડા વિલ્સન અને એક્ટર અનુપ સોની હોટ સીટ પર હતા. તેમને 6.40 લાખ રૂપિયા માટે સવાલ કર્યો હતો કે, ‘25 ડિસેમ્બર 1927ના રોજ ડો. આંબેડકર અને તેમના સમર્થકોએ કઈ ધાર્મિક બુકની કોપી સળગાવી હતી’. તેના વિકલ્પ હતા, ‘વિષ્ણુ પુરાણ, ભગવદગીતા, ઋગ્વેદ અને મનુસ્મૃતિ’. સાચો જવાબ હતો ‘મનુસ્મૃતિ’. ત્યારબાદ અમિતાભ બચ્ચને દર્શકોને જણાવ્યું કે, ડો. આંબેડકરે જે મનુસ્મૃતિની નિંદા કરી હતી, તેની કોપીઓ 1927માં સળગાવવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર તેનો વિરોધ શરૂ થઇ ગયો અને યુઝર્સે કહ્યું કે, આનાથી હિન્દૂઓની લાગણીને ઠેસ પહોંચી છે.



આ એપિસોડ ટેલિકાસ્ટ થતા જ વિવેક રંજન અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું હતું, ‘KBCને કમ્યુનિસ્ટે હાઇજેક કરી લીધું છે. માસુમ બાળકો એ શીખે કે કલ્ચર વોર કઈ રીતે જીતવાની છે. આને કોડિંગ કહે છે’.


વિવેક સિવાય અન્ય ઘણા યુઝર્સે પણ આ બાબતે સવાલ કર્યા છે. લોકોનો આરોપ છે કે વિકલ્પોમાં માત્ર એક ધર્મ વિશેષની બુક્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે ખોટું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2020 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK