Coronavirusને કારણે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ ટળી
સૂર્યવંશી
ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ આગામી માહિતી મળવા સુધી ટાળી દેવામાં આવી છે. આમ કરવાનું કારણ કોરોનાવાયરસનો વધતો પ્રકોપ છે.
આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં અક્ષય કુમારે લખ્યું છે કે, "કારણ કે આપણી સુરક્ષા સૌથી પહેલા આવે છે. સુરક્ષિત રહો, પોતાનું ધ્યાન રાખો."
ADVERTISEMENT
View this post on InstagramBecause our safety always, always comes first. Stay safe and take care of yourself ??
આ સિવાય તેણે એક નોટ પણ જાહેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, "ફિલ્મ સૂર્યવંશી અમે ખૂબ જ મહેનત અને લગનથી બનાવી છે. આ માટે અમે તમારા પરિવારને આ ફિલ્મ બતાવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા પણ કોરોના વાયરસના પ્રકોપને જોતાં નિર્માતા તરીકે અમે ફિલ્મની રિલીઝ ડેટ ટાળવાનો નિર્ણય કર્યો છે કારણકે આમારા દર્શકોનું સ્વાસ્થ્ય અને સુરક્ષા સૌથી વધારે મહત્વની છે. તેથી સૂર્યવંશીની રિલીઝને આગળ ટાળી દેવામાં આવી છે અને આને યોગ્ય સમયે રિલીઝ કરવામાં આવશે. કારણકે સુરક્ષા સૌથી પહેલા આવે છે. ત્યાર સુધી ફિલ્મ પ્રત્યે તમારા ઉત્સાહ જાળવી રાખો. પોતાનું ધ્યાન રાખો, સુરક્ષિત રહો. આપણે બધાંએ આનાથી લડવાનું છે.- ટીમ સૂર્યવંશી"
નોંધનીય છે કે કોરોનાવાયરસને કારણે દિલ્હી, જમ્મૂ કાશ્મીર અને કેરળમાં સિનેમાઘરોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી કોરોનાવાયરસ ન ફેલાઇ શકે. કોરોના વાયરસને કારણે બોલીવુડ ફિલ્મોની કમાણી પર પણ અસર પડી રહી છે. ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મમાં કેટરિના કૅફ પણ મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે.