Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઈદના દિવસે ફિલ્મ ડાયરેક્ટર રેહાન ચૌધરીનો માનવતાનો સંદેશ

ઈદના દિવસે ફિલ્મ ડાયરેક્ટર રેહાન ચૌધરીનો માનવતાનો સંદેશ

25 May, 2020 05:17 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઈદના દિવસે ફિલ્મ ડાયરેક્ટર રેહાન ચૌધરીનો માનવતાનો સંદેશ

ફિલ્મ ડાયરેક્ટર રેહાન ચૌધરી

ફિલ્મ ડાયરેક્ટર રેહાન ચૌધરી


દેશમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન જાહેર છે. કોરોના વાયરસ સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાતો હોવાથી ભારત સરકારે લોકોને સામાજિક અંતર જાળવી રાખવા કહ્યું છે. સામાજિક અંતર જળવાય તે માટે લગભગ બે મહિનાથી આખા દેશમાં લૉકડાઉન જાહેર છે. જેને કારણે લોકો એકબીજાને મળી શકતાં નથી.

આજે ઈદના પાવન દિવસે લોકો એકબીજાને ગળેભેટીને ઈદની શુભેચ્છાઓ આપતાં હોય છે પણ સામાજિક અંતર જાળવી રાખવાને કારણે લોકો ઈદની વધામણી સોશિયલ મીડિયા પર કે ડિજિટલ પ્લેટફૉર્મ દ્વારા આપી રહ્યા છે.



સમગ્ર બોલીવુડ જગતે પણ પોતાના ચાહકોને ઈદની વધામણી આપી છે. ત્યારે ફિલ્મ ડાયરેક્ટર રેહાન ચૌધરીએ ઈદના દિવસે તેમણે માનવતાનો એક સરસ સંદેશ પોતાના ચાહકોને આપ્યો છે. તેમણે કહ્યું છે દિવાળી કે ઈદ એ હિન્દુ કે મુસ્લિમોના નહીં પણ માણસના દિવસો છે. આ પાવન દિવસ તમારા જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે. ઈદ મુબારક, ઘરે રહો સ્વસ્થ રહો.


Rehan Chaudhary Instagram Story

રેહાન ચૌધરીએ આ જ સંદેશ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી પણ શૅર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2020 05:17 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK