Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > SSR કેસ: #Revolution4SSR અભિયાનને લીધે ક્રેશ થયું ટ્વીટર

SSR કેસ: #Revolution4SSR અભિયાનને લીધે ક્રેશ થયું ટ્વીટર

02 October, 2020 03:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

SSR કેસ: #Revolution4SSR અભિયાનને લીધે ક્રેશ થયું ટ્વીટર

સુશાંત સિંહ રાજપૂત બહેન શ્વેતા સિંહ કિર્તી સાથે

સુશાંત સિંહ રાજપૂત બહેન શ્વેતા સિંહ કિર્તી સાથે


14 જૂનના રોજ આત્મહત્યા કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર (ED), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈનવેસ્ટિગેશન (CBI) અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) કરી રહી છે. પરંતુ હજી સુધી એ ખુલાસો થયો નથી કે અભિનેતાએ આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરવામાં આવી છે. આ દરમિયાન અભિનેતાની બહેન શ્વેતા સિંહ કિર્તી (Shweta Singh Kirti) સોશ્યલ મીડિયા #Revolution4SSR અભિયાન શરુ કરીને સુશાંતના ચાહકોને પણ આમાં સપોર્ટ કરવાનું કહ્યું હતું. તેનો ચાહકોએ એટલો સપોર્ટ આપ્યો કે, ટ્વીટર પણ એક સમયે ક્રેશ થઈ ગયું હતું.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત માટે તાજેતરમાં #Revolution4SSR સાથે ડિજિટલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિનેતાના કેસમાં વિરોધ દર્શાવતું આ ત્રીજું અભિયાન છે. અભિનેતાના પરિવારના વકીલ દ્વારા અભિનેતાના મૃત્યુ કેસમાં સીબીઆઈ તપાસની "ગતિ" અંગે ચિંતા વ્યક્ત કર્યા પછી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. દુનિયાભરના ઘણા ચાહકોએ ન્યાયની માંગણી કરતી પોસ્ટ્સ અને સીબીઆઈ પર દબાણ લાવતા પોસ્ટ ટ્વિટર પર કરવાનું શરૂ કર્યું હતું. જેને લીધે ટ્વીટર ક્રેશ થઈ ગયું હતું. ટ્વીટર ક્રેશ થયું હોવાની માહિતી અભિનેતાની બહેન શ્વેતા સિંહ કિર્તીએ આપી હતી.



સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ ગુરુવારે રાતે એક ટ્વીટ કરીને લખ્યું કે, ‘સાંભળ્યું છે કે ટ્વિટર થોડીવાર માટે ક્રેશ થઇ ગયું હતું.આ હકીકત અને ન્યાય માટે એકસાથે લડનારાઓની અવાજ છે..આ એક ક્રાંતિ છે..સારું કામ કર્યું યોદ્ધાઓ..આગળ પણ આમ જ સપોર્ટ આપો..આપણી શક્તિ ચમકી ઊઠી છે. #Revolution4SSR’



અભિનેતાના મૃત્યુ પછી તેને ન્યાય અપાવવા માટે પોતાનો અવાજ ઉઠાવી રહેલા વકીલ ઈશકરણ સિંહ ભંડારીએ આ અભિયાન વિશે કહ્યું કે, #Revolution4SSR માટે ટ્વિટર પર કાલે 20 લાખ ટ્વીટ્સ થયા. PR નિષ્ફળ રહ્યું, કારણકે એકવાર ફરીથી તમે ગર્જ્યા છો.

તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બહેન શ્વેતા સિંહ કિર્તીએ અભિનેતાને ન્યાય મળે તે માટે અનેક અભિયાન કર્યા છે. તેમાં CBI4SSR, Plants4SSR, GlobalPrayer4SSR, Flag4SSR, Candle4SSR અને Warriors4SSR સામેલ છે.

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2020 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK