Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ PM નરેન્દ્ર મોદી સ્ટ્રેસમાંથી પસાર થાય છે : સંદીપ સિંહ

ફિલ્મ PM નરેન્દ્ર મોદી સ્ટ્રેસમાંથી પસાર થાય છે : સંદીપ સિંહ

17 April, 2019 11:07 AM IST |

ફિલ્મ PM નરેન્દ્ર મોદી સ્ટ્રેસમાંથી પસાર થાય છે : સંદીપ સિંહ

સંદીપ સિંહ

સંદીપ સિંહ


પ્રોડ્યુસર સંદીપ સિંહે જણાવ્યું હતું કે આટલું સ્ટ્રેસ તો ‘પદ્માવત’ ફિલ્મને પણ એની રિલીઝ વખતે નહોતં થયું જે સ્ટ્રેસમાંથી હાલ ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ પસાર થઈ રહી છે. ‘PM નરેન્દ્ર મોદી’ની રિલીઝને લઈને કોર્ટ કેસ ચાલી રહ્યો છે. આ કેસની આગામી સુનાવણી બાવીસ એપ્રિલે થવાની છે. લોકસભાની ચૂંટણી હોવાને કારણે ઇલેક્શન કમિશને ફિલ્મની રિલીઝ પર બૅન લગાવી દીધો છે. ફિલ્મને લઈને તનાવ અનુભવતાં સંદીપ સિંહે કહ્યું હતું કે ‘અમે હાલમાં ખૂબ સ્ટ્રેસમાં છીએ. અમારી ટીમ એનો આત્મવિશ્વાસ ગુમાવી રહી છે. જોકે અમને પૂરી આશા છે અને પ્રાર્થના કરીએ છીએ કે અમને ન્યાય મળશે.

આ પણ વાંચો : સંબંધોને પ્રાથમિકતા આપે છે આલિયા ભટ્ટ



અમારી ફિલ્મ રિલીઝ પણ થશે. આવું પહેલી વાર બન્યું છે જ્યારે ફિલ્મમેકરને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ખૂબ જ અપમાનિત થયા હોવાનું લાગી રહ્યું છે અને ભરપૂર સ્ટ્રેસ પણ છે. ‘પદ્માવત’ને પણ આવા સ્ટ્રેસમાંથી પસાર નહીં થવું પડ્યું હોય. એટલું તો સ્પષ્ટ છે કે આગલી રાતે તો એની રિલીઝને અટકાવવામાં નહોતી આવી.’


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2019 11:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK