બેડ પર કાર્તિક આર્યન હોય તો પણ સરપ્રાઇઝ નહીં થાય આલિયા ફર્નિચરવાલાને
આલિયા ફર્નિચરવાલાનું કહેવું છે કે જો તેનાં બૅડ પર સવારનાં કાર્તિક આર્યન જોવા મળે તો પણ તેને કોઈ વાતનું આશ્ચર્ય નહીં લાગે. પૂજા બેદીની દીકરી આલિયા ‘જવાની જાનેમન’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને તબુ પણ જોવા મળશે. એક ચૅટ-શોમાં તેને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ એક વસ્તુ છે જે તારી પાસે છે અને અનન્યા પાન્ડે પાસે નથી. એનો જવાબ આપતાં આલિયાએ કહ્યું હતું કે અનન્યા પાન્ડે પાસે નેપોટિઝમ વિશે યોગ્ય જવાબ નથી, પરંતુ મારી પાસે છે.
આલિયા તેના સાથી કલાકારના કરીઅર ગ્રાફ પર પણ ધ્યાન આપી રહી છે. કાર્તિક આર્યનની પાછળ પોતાની દિવાનગી વ્યક્ત કરતા આલિયાએ કહ્યું હતું કે ‘સારા અલી ખાન સાથેની ‘લવ આજ કલ’ના ટ્રેલરમાં તેમની વચ્ચેના રોમૅન્ટિક દૃશ્યોને જોયા બાદ કાર્તિક આર્યન સાથે એવા દૃશ્યો કરવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી.’
કાર્તિક આર્યન તેના બૅડમાં જોવા મળે એ વિશે પૂછતાં આલિયાએ કહ્યું હતું કે ‘હું સવારે ઊઠું અને કાર્તિક મારા બૅડ પર હોય તો એની મને સરપ્રાઇઝ નહીં લાગે.’