કુશાલ પંજાબીએ કરેલા સુસાઇડ વિશે એકતા કપૂરે કહ્યું...
એકતા કપૂર
ટીવી ઍક્ટર કુશાલ પંજાબીએ ડિપ્રેશનને કારણે કરેલા સુસાઇડને લઈને એકતા કપૂરે જણાવ્યું હતું કે આપણે ફરી નિષ્ફળ રહ્યાં છીએ. કુશાલ ઘણી ટીવી સિરિયલ્સમાં જોવા મળ્યો હતો. તેણે ‘લક્ષ્ય’, ‘કાલ’ અને ‘અ જેન્ટલમૅન’ જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. કુશાલની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરતાં ઇન્સ્ટાગ્રામ પર એકતા કપૂરે ઇમોશનલ કૅપ્શન આપી હતી કે ‘મને જાણ થઈ કે ડિપ્રેશનને કારણે આપણે એક કલાકારને ગુમાવ્યો છે. ડિપ્રેશનને નાથવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. તારી આત્માને શાંતિ મળે. આશા રાખુ છું કે તને સ્વર્ગ મળ્યુ હોય. તે નરકમાં (પૃથ્વી પર) તારો સમય પૂરો કરી લીધો છે.’