Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઍક્ટર્સને એવા સવાલો ન કરો જે તેને સંબંધિત ન હોય : મનોજ બાજપાઈ

ઍક્ટર્સને એવા સવાલો ન કરો જે તેને સંબંધિત ન હોય : મનોજ બાજપાઈ

21 September, 2020 09:21 PM IST | Mumbai
Agencies

ઍક્ટર્સને એવા સવાલો ન કરો જે તેને સંબંધિત ન હોય : મનોજ બાજપાઈ

મનોજ બાજપાઇ

મનોજ બાજપાઇ


મનોજ બાજપાઈનું કહેવું છે કે ઍક્ટર્સને કદી પણ એવા સવાલો ન પૂછવા જોઈએ જેની સાથે તેને કોઈ સંબંધ ન હોય. બૉલીવુડની સેલિબ્રિટીઝને દરેક પ્રકારના સવાલો કરવામાં આવે છે. એ વિશે મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘જો તમે એમ કહો કે અમે માત્ર ઍક્ટર્સ જ છીએ. તમે અમને ટ્વિટર પર ટ્રોલ કરો છો એમ કહીને કે અમે ઍક્ટર્સ છીએ તો દરેક મુદ્દા પર અમારા વિચારો જાણવા જરૂરી છે જેની અમને કશી માહિતી નથી હોતી. હા, અમે માત્ર ઍક્ટર્સ છીએ. જો ઇકૉનૉમી અથવા અન્ય કોઈ વિષય પર કે પછી ભારત-ચીન તનાવ વિશે મારી પાસેથી જાણવા માગો તો મને એના વિશે કોઈ આઇડિયા નથી. હું કેવી રીતે તમારા સવાલોનો સંતોષકારક જવાબ આપી શકું? દરેક વિષય પર બોલવા માટે હેરાન કરવા યોગ્ય નથી. તેમને ઍક્ટર જ રહેવા દો અને તેમનું કામ કરવા દો. જો તેઓ કંઈ ખોટુ કરે તો તેમની નિંદા કરો, પરંતુ એવા સવાલો ન કરો જે તેને સંબંધિત ન હોય.’


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2020 09:21 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK