Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ખબર છે તમને, લંકાદહન વખતે આગ વિક્રમ મસ્તલની પીઠ પર પણ લાગી હતી?

ખબર છે તમને, લંકાદહન વખતે આગ વિક્રમ મસ્તલની પીઠ પર પણ લાગી હતી?

23 July, 2020 10:26 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ખબર છે તમને, લંકાદહન વખતે આગ વિક્રમ મસ્તલની પીઠ પર પણ લાગી હતી?

વિક્રમ મસ્તાની

વિક્રમ મસ્તાની


રામાયણનાં આમ તો અનેક વર્ઝન છે, પણ મજાની વાત એ છે કે તમામ વર્ઝન સુપરહિટ થયાં છે. રામાનંદ સાગરની ‘રામાયણ’ પછી આનંદ સાગરે પણ ‘રામાયણ’ બનાવી અને એ પણ સુપરહિટ રહી. આનંદ સાગરની ‘રામાયણ’ની સૌથી મહત્ત્વની વાત જો કોઈ હોય તો એ લંકાદહન વખતની છે. લંકાદહન વખતે લંકાને આગ લગાડી રહેલા અને સિરિયલમાં હનુમાન બનેલા ઍક્ટર વિક્રમ મસ્તલે એ સીન ભજવતી વખતે સાચે જ આગ લાગી હતી અને તેની પીઠ દાઝી ગઈ હતી. એ દિવસ યાદ આવે ત્યારે આજે પણ વિક્રમને ધ્રુજારી આવી જાય છે. વિક્રમ કહે છે, ‘મારે આ સીન માટે કલાકો સુધી રિહર્સલ્સ કરવાનું હતું. બૉડી ડબલની છૂટ હતી, પણ મારી ઇચ્છા નહોતી કે આ સીન ડુપ્લિકેટ કરે. ૧૦૦ ફુટ લાંબી પૂંછડી બનાવવામાં આવી હતી અને એ પૂંછડી પર ક્રૂડ છાંટીને એને આગ લગાડવામાં આવી હતી. આગ લાગી અને સેકન્ડમાં જ આગે આખી પૂંછડી સળગાવી દીધી હતી અને એ આગ સીધી મારી પીઠ પર આવી અને મને રિસ્કની સભાનતા આવી.’
લંકાદહન માટે શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે હનુમાનજીએ લંકા સળગાવી હતી એ આગ છેક કન્યાકુમારીથી દેખાતી હતી.
શૂટિંગ વખતે લાગેલી આગમાંથી બચવાનું કામ કોઈ ચમત્કારી ઘટના હોય એવું જ વિક્રમ માને છે.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2020 10:26 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK