કસૌટી ઝિંદગી કી 2માં પ્રેરણાનું પાત્ર ભજવવાને અફવા જણાવી દિવ્યાંકાએ
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી સ્ટોરી
દિવ્યાંકા ત્રિપાઠી દહિયાએ એ વાતને ફગાવી દીધી છે કે તે ‘કસૌટી ઝિંદગી કી 2’માં પ્રેરણાનું પાત્ર ભજવવાની છે. એવી ચર્ચા ચાલી રહી છે કે પ્રેરણાનો રોલ ભજવતી એરિકા ફર્નાન્ડિસે આ શોને અલવિદા કહી દીધું છે. આ સિરિયલમાં અનુરાગ બાસુની ભૂમિકામાં જોવા મળતા પાર્થ સમથાને પણ શોને છોડી દીધો છે. તેણે પ્રોડક્શન-હાઉસને નોટિસ મોકલી છે. એવામાં એવી અફવાને વેગ મળ્યો છે કે એરિકાને બદલે આ શોમાં દિવ્યાંકા જોવા મળશે. એથી તમામ અટકળોને વિરામ આપતાં તેણે ઇન્સ્ટાસ્ટોરી પર લખ્યું હતું કે ‘દિવ્યાંકા ત્રિપાઠી દહિયા ‘કસૌટી ઝીંદગી કી 2’માં પ્રેરણાના રોલમાં જોવા મળશે? આ માત્ર અફવા છે. જે લોકો કાળજી કરી રહ્યા છે તેમના માટે આ સ્પષ્ટિકરણ છે.’