Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શહીદોના પરિવારને ત્રણ લાખનું દાન કર્યું દિલજિત દોસંજે

શહીદોના પરિવારને ત્રણ લાખનું દાન કર્યું દિલજિત દોસંજે

19 February, 2019 10:56 AM IST |

શહીદોના પરિવારને ત્રણ લાખનું દાન કર્યું દિલજિત દોસંજે

દિલજિત દોસંજ

દિલજિત દોસંજ


દિલજિત દોસંજે પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની પત્નીઓ માટે ત્રણ લાખ રૂપિયાનું દાન કર્યું છે. તેણે આ પૈસા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના શહીદોની પત્નીઓના વેલ્ફેર ફન્ડમાં જમા કર્યા છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં દિલજિત દોસંજે લખ્યું હતું કે ‘આપણા સૈનિકો આપણા દેશ અને નાગરિકોનું રક્ષણ કરે છે. આગામી દિવસોમાં તેમની સાથે શું થવાનું છે એ જાણવા વગર તેઓ તેમના પરિવાને છોડીને જતા હોય છે. તેમના પરિવારને પણ નથી ખબર હોતી કે તેઓ હવે ક્યારે અને ક્યાં તેમને જોશે. જોકે તેમને હંમેશાં એક આશા હોય છે અને આ પરિવારો પાસે એ પણ નથી રહી.

આ પણ વાંચો : બાદશાહ અને સરગુન મેહતાએ કર્યું ત્રણ-ત્રણ લાખ રૂપિયાનું દાન



આપણે તેમના દુખને પાછું નહીં લઈ શકીએ, પરંતુ પૈસાનું દાન કરીને તેમને થોડી મદદ કરી શકીએ છીએ. આ મુશ્કેલીભર્યા દિવસોમાં આપણા શહીદ જવાનોના પરિવારને આપણે મદદ કરવી જોઈએ. આપણે આપણા સૌનિકો અને તેમની ફૅમિલીની સાથે છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2019 10:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK