કવિતાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરતાં દિલીપકુમારે કહ્યું..
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવા કહે છે. ટ્વિટર પર કવિતા લખતાં દિલીપકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘કોરોના વાઇરસ ફેલાયો છે ત્યારે હું સૌને ઘરમાં સલામત રહેવાની વિનંતી કરું છું. દવા ભી, દુઆ ભી. ઔરોં સે ફાંસલા ભી, ગરીબ કી ખિદમત, કમઝોર કી સેવા ભી.’