દિલીપકુમારને કોરોના વાઇરસના ભયને જોતાં સેલ્ફ-આઇસોલેશનમાં રાખવામાં આવ્યા
દિલીપ કુમાર
કોરોના વાઇરસના વધતા જોખમને ધ્યાનમાં રાખીને દિલીપ કુમારને સેલ્ફ-આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. થોડા સમય પહેલાં જ તેમની તબિયત ખરાબ થઈ હતી. તેમની લીલાવતી હૉસ્પિટલમાં તપાસ કરાવવામાં આવી હતી. ૯૭ વર્ષના અભિનેતાની ખાસ કાળજી લેવા તેમને અલાયદા રાખવાની માહિતી ટ્વિટર પર આપતાં દિલીપકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘કોરોના વાઇરસના ફેલાવાને કારણે હું પૂરી રીતે આઇસોલેશન પર અને અલગ રહી રહ્યો છું. મને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે એની પૂરી દરકાર સાયરા બાનુ લઈ રહી છે. હું દરેક વ્યક્તિને અપીલ કરું છું કે તમારી સલામતી રાખો અને જેમ બને એમ ઘરમાં જ રહો. કોરોના વાઇરસે તમામ સીમાઓ અને હદ પાર કરી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટે આપેલાં સૂચનોનું પાલન કરો અને આ બીમારીને ફેલાતી અટકાવવા માટે તમારી અને અન્ય લોકોની ખાસ કાળજી લો.’