Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગણેશ ગાયતોંડેને મેં ક્યારેય જજ નથી કર્યો : નવાઝુદ્દીન સિદ્દીકી

ગણેશ ગાયતોંડેને મેં ક્યારેય જજ નથી કર્યો : નવાઝુદ્દીન સિદ્દીકી

02 August, 2019 11:38 AM IST | મુંબઈ

ગણેશ ગાયતોંડેને મેં ક્યારેય જજ નથી કર્યો : નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી


નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે તે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની વેબ-સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ સિરીઝના ગણેશ ગાયતોન્ડેના પાત્રને લઈને કોઈ સવાલ નથી કરતો. ગણેશ ગાયતોન્ડેનો એક ડાયલૉગ છે કે ‘કભી કભી લગતા હૈ અપુન હી ભગવાન હૈ.’ આ પાત્ર વિશે નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘શોમાં ગાયતોન્ડે જે કરે છે એ સારું છે કે ખરાબ છે એ હું નથી જાણતો. મારે તો માત્ર પાત્રની ડિમાન્ડને પૂરી કરવાની છે પછી એ તેની ભાષા હોય કે પછી અન્ય વસ્તુ હોય. હું એમ ન કહી શકું કે હું આ નહીં કરુ કે તે નહીં કરું, કારણ કે રિયલ લાઇફમાં મને લોકો તરફથી ભરપૂર પ્રેમ અને સન્માન મળ્યાં છે. હું સારી-સારી ભૂમિકા ભજવવામાં નથી માનતો. એમાં કોઈ પણ જાતનો દંભ ન હોવો જોઈએ.

આ પણ જુઓ : Alisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર



હું જજમેન્ટલ નથી. હું નવાઝ તરીકે ગાયતોન્ડે આવું શું કામ કરે છે એના પર સવાલ નથી કરતો. તે એક પાત્ર છે, એ તેની સ્ટોરી છે. એ તેની લાઇફ છે. મારે ડિરેક્ટરના, રાઇટરના અને ટીમના વિઝન પર ભરોસો રાખવાનો હોય છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2019 11:38 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK