Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહિદ અને મીરા રાજપૂત વચ્ચે શું પંદર દિવસ સુધી ઝઘડો ચાલ્યો હતો?

શાહિદ અને મીરા રાજપૂત વચ્ચે શું પંદર દિવસ સુધી ઝઘડો ચાલ્યો હતો?

01 September, 2019 11:06 AM IST | મુંબઈ

શાહિદ અને મીરા રાજપૂત વચ્ચે શું પંદર દિવસ સુધી ઝઘડો ચાલ્યો હતો?

શાહિદ કપૂર અને મીરા રાજપૂત

શાહિદ કપૂર અને મીરા રાજપૂત


શાહિદ કપૂર અને તેની વાઇફ મીરા રાજપૂત વચ્ચે ૧૫ દિવસ સુધી ઝઘડો ચાલ્યો હતો એવી ચર્ચા ચાલી રહી છે. આ બન્નેને મીશા અને ઝૈન નામનાં બે બાળકો છે. શાહિદ અને મીરા હંમેશાં બાળકો સાથે ફૅમિલી ટાઇમ પસાર કરતાં જોવા મળે છે. મીરા સાથેની પહેલી મુલાકાત વિશે શાહિદે કહ્યું હતું કે તે જ્યારે પહેલીવાર મીરાને મળ્યો હતો ત્યારે તેમણે સતત સાત કલાક સુધી વાતો કરી હતી. તેને જોતા જ તે તેનાં પ્રેમમાં પડ્યો હતો. સાથે જ કહ્યું હતું કે તે દરરોજ નાની નાની બાબતો માટે તેને કૉલ કરતો હતો. શાહિદ મુજબ તેની વાઇફ મીરાએ તેને એક સારો વ્યક્તિ બનવામાં પણ મદદ કરી છે. બન્ને વચ્ચેનાં સંબંધોની સારી બાબત એ છે કે તેઓ એક બીજા સાથે સારી રીતે ચર્ચા - વિચારણાં કરે છે. સાથે જ એ વાતની પણ ખાતરી રાખે છે કે તેમનાં સંબંધોમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે. તેમનાં સંબંધો પારદર્શક રહે.

આ પણ વાંચો : ડ્રગ્સના આરોપની મારા પર ઊંડી અસર થઈ છે : વિકી કૌશલ



શાહિદ ઍક્ટર છે એ વાતથી મીરાને કોઈ ફરક નથી પડતો. પિતા પંકજ કપૂર અને માતા નિલીમા અઝીમે શાહિદને હંમેશાં સિમ્પલ રાખવાનો પ્રયાસ કર્યો છે. જોકે મીરાને ઠાઠ અને વૈભવ પસંદ છે. આટલું જ નહીં ચર્ચા તો એવી પણ છે કે શાહિદ અને મીરા વચ્ચે ૧૫ દિવસ લાંબો ઝઘડો પણ ચાલ્યો હતો. જોકે બન્ને વચ્ચેનો પ્રેમ અતૂટ હોવાથી ઝઘડાનો અંત પણ આવી જાય છે. આપ‌ણે તો એટલુ જ કહીશું કે અંત ભલા તો સબ ભલા.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 11:06 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK