Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તો શું આ અભિનેત્રીના કારણે તુટ્યા દિયા મિર્ઝાના લગ્ન?

તો શું આ અભિનેત્રીના કારણે તુટ્યા દિયા મિર્ઝાના લગ્ન?

02 August, 2019 03:27 PM IST | મુંબઈ

તો શું આ અભિનેત્રીના કારણે તુટ્યા દિયા મિર્ઝાના લગ્ન?

તો શું આ અભિનેત્રીના કારણે તુટ્યા દિયા મિર્ઝાના લગ્ન?

તો શું આ અભિનેત્રીના કારણે તુટ્યા દિયા મિર્ઝાના લગ્ન?


બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ ગુરૂવારે પોતાની જિંદગી સાથે જોડાયેલી મોટી જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો. દિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું કે તે પોતાના પતિ સાહિલ સાંઘાથી અલગ થઈ રહી છે. બંને પરસ્પર સહમતિથી આ નિર્ણય લઈ રહ્યા છે. 11 વર્ષ સાથે રહ્યા બાદ દિયાની આ પોસ્ટે દરેકને હેરાન કરી દીધા છે.

હવે તેને સંયોગ કહીએ કે બીજું કાંઈ પરંતુ ગુરૂવારે જ વધુ એક સેલિબ્રિટી કપલે એ એલાન કર્યું કે તેઓ અલગ થઈ રહ્યા છે. કંગન રનૌતની ફિલ્મ જજમેન્ટર હૈ ક્યાની રાઈટલ કનિકા ઢિલ્લને પોતાના પતિ પ્રકાશન કોવેલામુડી સાથેને લગ્ન તૂટવાનું એલાન કર્યું છે. એક જ દિવસમાં બે લગ્નો તૂટવાની ખબર સાંભળીને લોકો ચોંકી ગયા હતા. પરંતુ હવે જે અહેવાલો સામે આવી રહ્યા છે તે વધુ ચોંકાવનારા છે.

સ્પૉટબૉયના અહેવાલ અનુસાર, દિયા અને સાહિલના લગ્ન એક બીજી અભિનેત્રી અને રાઈટરના કારણે તૂટી રહ્યા છે અને તે રાઈટર બીજું કોઈ નહીં પણ કનિકા ઢિલ્લન છે. સ્પૉટબૉયે બોલીવુડ બબલનો હવાલો આપતા કહ્યું છે કે સાહિલ અને દિયાના લગ્ન તૂટવાનું કારણે કનિકા છે. આ ખબર ચોંકાવનારી છે, પરંતુ ખબરોનું માનીએ તો દિયા મિર્ઝાને કનિકા અને સાહિલ સાંઘાના અફેર વિશા ખબર પડી ગઈ હતી. જે બાદ તેણે અલગ થવાનો નિર્ણય લીધો.

દિયાએ કરી હતી પોસ્ટ...
દિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પતિથી અલગ થવાનું એલાન કર્યું હતું. દિયાએ લખ્યું છે કે, 11 વર્ષ સુધી એકસાથી જીવ્યા અને સાથે રહ્યા બાદ અમે પરસ્પર સહમતિથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. અમે મિત્રો રહીશું. અને જ્યારે જરૂર પડશે ત્યારે પ્રેમ અને આદરથી એકબીજા માટે હાજર રહીશું. અમારા રસ્તાઓ હવે અલગ અલગ છે, પરંતુ અમે જે બંધનમાં હતા તેના માટે કૃતજ્ઞ રહીશું.

આ પણ જુઓઃ Alisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર



દિયાએ વધુમાં લખ્યું કે, અમે અમારા પરિવાર અને મિત્રોને તેમના પ્રેમ અને સમજણ માટે આભાર માનીએ છે. અને મીડિયાનો પણ તેમના સહયોગ બદલ આભાર માનીએ છે. અને અત્યારે અમારે પ્રાઈવસીની જરૂર છે તે વાતને સમજે. અમે આ મામલે વધુ કોઈ જ નિવેદન નહીં આપીએ.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2019 03:27 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK