દિયા મિર્ઝા અને રિચા ચઢ્ઢાને ટ્વીટર કરી રહ્યું છે પરેશાન
દિયા મિર્ઝા, રિચા ચઢ્ઢા
સોશ્યલ મીડિયા એવું માધ્યમ છે, જેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. લોકો સાથે તતરત કનેક્ટ કરી દેતુ આ મધ્યમ ક્યારેક ત્રાસદાયક પણ બની જાય છે. ફક્ત સામાન્ય માણસ સાથે જ નહીં પણ સેલેબ્ઝ સાથે પણ આવું અનેક વાર થતું હોય છે. સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી અભિનેત્રી દિયા મિર્ઝા (Dia Mirza) અને રિચા ચઢ્ઢા (Richa Chadha)ને પણ તાજેતરમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટરનો કડવો અનુભવ થયો છે. ટ્વીટર ટ્વીટ ડિલીટ કરી રહ્યું હોવાની યુઝર્સને અનફોલો કરી રહ્યું હોવાની અભિનેત્રીઓની ફરિયાદ કરી છે.
રિચા ચઢ્ઢાએ ટ્વીટ કર્યું હતું કે, મારા કેટલાક ટ્વીટને ડિલીટ કરવામાં આવ્યા છે અને ઘણા લોકોને અનફોલો કરવામાં આવ્યા છે. આ કામ રિચાએ નહિ પણ ટ્વિટરે કર્યું છે. દિયા મિર્ઝાનું કહેવું છે કે, અકાઉન્ટમાંથી ઘણા એવા લોકોને ફોલો કરવામાં આવ્યા છે જે હું ઈચ્છતી નહોતી.
ADVERTISEMENT
Yes, why? Also, how am i following people i never followed? @TwitterIndia https://t.co/axC2uASVvS
— Dia Mirza (@deespeak) October 2, 2020
સૌ પ્રથમ રિચા ચઢ્ઢાએ ટ્વીટ કર્યું હતું કે, 'ટ્વિટર ઇન્ડિયાએ કેમ ટ્વીટ ડિલીટ કર્યા? ઘણા યુઝર્સને અનફોલો કર્યા'. આ ટ્વીટના જવાબમાં દિયા મિર્ઝાએ પણ પોતાની ફરિયાદ જણાવતા કહ્યું કે, 'હા, ટ્વિટર ઇન્ડિયા કેમ? હું કેમ એવા લોકોને ફોલો કરી રહી છું જેમને મેં ક્યારેય ફોલો જ કર્યા નથી'.
તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલાં ટ્વિટર યુઝરે નોટિસ કર્યું હતું કે, માઈક્રો બ્લોગિંગ સાઈટ ગુરુવારે વ્યવસ્થિત કામ કરતી નહોતી. જો કે, ટ્વિટરે જણાવ્યું હતું કે, 'ચેક કરી લો હવે તે કામ કરે છે કે નહિ. તમને ટ્વીટ જોવામાં અને કરવામાં તકલીફ થઇ શકે છે. અમે પ્રોબ્લેમ સોલ્વ કરી લીધો છે'. તેમ છતા અભિનેત્રીઓને ગુરુવારે આ તકલીફનો સામનો કરવો પડયો હતો.