સાંત્વની ત્રિવેદીનું નવું ગીત 'મારુ મન મોહી ગયું' રિલીઝ
સાંત્વની ત્રિવેદી
યુટ્યુબર્સમાં સાંત્વની ત્રિવેદી (Santvani Trivedi) આ નામ બહુ લોકપ્રિય છે. જૂના ગીતોને નવી રીતે પ્રસ્તુત કરવામાં સાંત્વની ત્રિવેદી હંમેશા અવ્વલ રહી છે. તાજેતરમાં જ તેનું નવું ગીત 'મારુ મન મોહી ગયું' રિલીઝ થયું છે. જે લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.
સાંત્વની ત્રિવેદી જુના ગીતોને નવી રીતે રજુ કરવા માટે જાણીતી છે. તેના લોકગીતો લોકોમાં બહુ પ્રિય છે. તાજેતરમાં રિલીઝ થયેલા ગીત 'મારુ મન મોહી ગયું'ને પણ લોકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.
ADVERTISEMENT
તદ્દન નવા પ્રકારે રજુ કરવામાં આવેલા ગીત 'મારુ મન મોહી ગયું'નું સંગીત આકાશ પરમારે આપ્યું છે. આ ગીતના શબ્દો વિરલ ઠાકરે લખ્યા છે. જ્યારે નિરવ પરમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે. સાંત્વની ત્રિવેદીના દરેક ગીતની જેમ આ ગીતમાં પણ ગુજરાતની નવી જગ્યા જોવા મળી રહી છે. આ ગીતમાં પાવાગઢની તળેટી જોવા મળે છે.
આ પણ જુઓ: સાંત્વની ત્રિવેદી: યુ ટ્યૂબ ક્વિને નાની ઉંમરમાં મેળવી છે મોટી સફળતા
સાંત્વની ત્રિવેદીએ હાલમાં જ ગુજરાતના ટોપ 10 યુ ટ્યૂબરમાં સ્થાન મેળવ્યું છે. યુ ટ્યૂબ પર સાંત્વની ત્રિવેદીના સવા લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. તેના લોકપ્રિય ગીતોમાં વહાલો દરિયો (કવર સોન્ગ), ઊંચી તલાવડી, વા વાયાને વાદળ, વાદલડી વરસી, ગુજરાતી લવ મેશઅપનો સમાવેશ થાય છે.