મીઠી મધુરી ઐશ્વર્યા મજમુદારનાં સપનામાં ખલેલ પડી કે શું?
ઐશ્વર્યા અને મુલ્ક રાજની લવ સ્ટોરીની ઝલક આપણને તે બંન્નેની સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી સતત મળ્યા કરતી હતી
ઐશ્વર્યા મજમુદારને કોણ નથી જાણતું, તેનો મધુરો અવાજ અને મસ્તાની અદાઓના દિવાનાઓની કોઇ કમી નથી. તેણે જ્યારે દુબઇનાં બિઝનેસ મુલ્કરાજ ગઢવી સાથે સગાઇ કરી ત્યારે કલા જગતમાં લોકોએ તેને અભિનંદનની વર્ષામાં ભિંજવી દીધી હતી. ઐશ્વર્યા અને મુલ્ક રાજની લવ સ્ટોરીની ઝલક આપણને તે બંન્નેની સોશ્યલ મીડિયો પોસ્ટ પરથી સતત મળ્યા કરતી હતી અને મજાની વાત એ છે કે ઐશ્વર્યાએ પહેલાં જણાવ્યું છે કે તેઓ બંન્ને પણ એકબીજા સાથે સોશ્યલ મીડિયાથી જ સંપર્કમાં આવ્યા હતા. તેની સગાઇ થઇ અને પછી તેમણે મળીને ફેબ્રુઆરીમાં જુસ્તજુ ગીત પણ રિલીઝ કર્યું હતું જેને ઘણા લાઇક્સ, વ્યુઝ અને શેર મળ્યા હતા.
પણ એક વાત ધ્યાનમાં આવી છે કે છેલ્લે ઐશ્વર્યા અને મુલ્કરાજે એકબીજા સાથેની તસવીર ધૂળેટીની વખતે પોસ્ટ કરી હતી જેમાં બંન્નેનો પ્રેમ રંગ આંખે ઉડીને વળગતો હતો. પરંતુ ત્યાર બાદની સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં મુલ્ક રાજ અને ઐશ્વર્યા એકબીજાને ટેગ નથી કરી રહ્યા.લૉકડાઉનમાં ક્યાંય પ્રિયજનનો વિરહ આ બંન્નેની પોસ્ટમાં નથી દેખાઇ રહ્યો.ઐશ્વર્યાનાં મમ્મી પણ મુલ્કરાજની પોસ્ટ્સ પર લાઇક કે કમેન્ટ નથી કરી રહ્યા.શું આ સ્વર્ગમાં કંઇ પ્રશ્ન ખડો થયો છે?
ADVERTISEMENT
ઐશ્વર્યા રોજ પોતાના પેજ પરથી કંઇક મજાનું પોસ્ટ કરતી રહે છે અને તેના ચાહકોની કોઇ ખોટ જ નથી પણ આપણી વહાલી મીઠડી ઐશ્વર્યા કેમ વાલમના વિરહની વાત નથી કરી રહી.શા માટે મુલ્કરાજની પોસ્ટમાં પણ ક્યાંય તેનો ઉલ્લેખ નથી? ચાર દિવસ પહેલાં તેણે પોતાના વ્હાલા પેટને ગુમાવ્યો ત્યારે પણ મુલ્કરાજનો સાંત્વના આપતો કોઇ સંદેશ ઐશ્વર્યાના પેજ પર જોવા નથી મળતો.
ઐશ્વર્યાના ફેન્સ તેને એટલું જ કહેવા ચાહે છે કે તે મસ્ત રહે, ત્રસ્ત ન રહે અને તેની સાથે એ જ થાય જે બેસ્ટ હોય તેવી તમામની શુભેચ્છાઓ છે.