તો આ કારણથી દીપિકા પાદુકોણે રણવીરસિંહ સાથે કર્યા લગ્ન
રણવીર સિંહ દીપિકા પાદુકોણ (તસવીર સૌજન્ય દીપિકા પાદુકોણ ઇન્સ્ટાગ્રામ)
ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહ વિશે આ ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતા દીપિકાએ ખુલાસો કર્યો કે રણવીરની કઈ કઈ ક્વોલિટી તેને ગમી હતી. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઘણા સમયથી એકબીજાન પ્રેમમાં હતા.. ત્યાર બાદ તેમણે પોતાના પ્રેમને આગળ વધારતા લગ્ન કરી લીધા.
એક ઇન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણે રણવીર સિંહની ખાસિયતો જણાવતા કહ્યું કે રણવીર સિંહની સૌથી મહત્વની વાત તેને એ ગમે છે કે રણવીર સિંહ ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છે.
ADVERTISEMENT
દીપિકા પાદુકોણે આગળ એ પણ જણાવ્યું કે જ્યારે તે રણવીર સિંહ સાથે હોય છે ત્યારે તેને કોઇપણ વસ્તું કરતાં અટકાવતી નથી, સાથે જ રણવીર સિંહ પણ પોતાની લાગણી વ્યક્ત કરવામાં ખૂબ જ સક્ષમ છે અને તેમાં નિખાલસતા પણ હોય છે. આ બાબતોને લીધે દીપિકા પાદુકોણને રણવીર સિંહ સાથે પ્રેમ થઈ ગયો.
View this post on Instagram
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ કબીર ખાનના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 83માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે જ્યારે દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમીની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ સાથે તે પ્રોડ્યુસર પણ બની રહી છે.
આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો
આ ફિલ્મ બન્નેની પહેલી એવી ફિલ્મ હશે જેમાં ટ્રેજિક એન્ડ નહીં હોય. ફિલ્મ બાજીરાવ મસ્તાની, રામલીલા અને પદ્માવત ફિલ્મમાં બન્નેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ત્રણે ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર રેકૉર્ડ કમાણી કરી હતી. આ ફિલ્મોનું નિર્દેશન ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલીએ કર્યું હતું.