Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એસિડ અટેક સરવાઈવર લક્ષ્મી અગ્રવાલનુ 'છપાક'ને લઈને નિવેદન

એસિડ અટેક સરવાઈવર લક્ષ્મી અગ્રવાલનુ 'છપાક'ને લઈને નિવેદન

20 April, 2019 03:23 PM IST |

એસિડ અટેક સરવાઈવર લક્ષ્મી અગ્રવાલનુ 'છપાક'ને લઈને નિવેદન

લક્ષ્મી અગ્રવાલનુ ફિલ્મને લઈને નિવેદન

લક્ષ્મી અગ્રવાલનુ ફિલ્મને લઈને નિવેદન


એસિડ અટેક સરવાઈવર પર બની રહેલી ફિલ્મ છપાક હાલ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મના હાલમાં જ જાહેર કરાયેલા પોસ્ટરને જોઈને દીપિકા પાદૂકોણના ઘણા વખાણ કરવામાં આવી રહ્યા છે. એસિડ અટેકનો ભોગ બનેલી લક્ષ્મી અગ્રવાલ કે જેના જીવન પર આધારિત આ ફિલ્મ બની રહી છે તેણે હાલમાં નિવેદન આપ્યું હતુ જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એપ્રિશિયેટ કરવામાં આવી રહ્યું છે.

એસિડ ફેકનારાઓ માટે એક તમાચો છે આ ફિલ્મ : લક્ષ્મી



એક ઈન્ટરવ્યૂ દરમિયાન લક્ષ્મી અગ્રવાલે કહ્યું હતું કે, આ ફિલ્મ મહિલાઓ માટે ખુબ મહત્વની છે. આ ફિલ્મ એસિડ ફેકનારાઓ માટે એક તમાચા બરાબર સાબિત થશે જેમણે મારુ જીવન ખત્મ કરી નાખવાના પ્રયાસો કર્યા. સમાજ માટે પણ આ ફિલ્મ એક અરિસા સમાન છે જે મને અપરાધીની નજરથી જુએ છે.


મે ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પર ફિલ્મ બનશે

લક્ષ્મીએ કહ્યું હતું કે, મે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારા જીવન પર કોઈ ફિલ્મ બનશે અને દીપિકા પાદૂકોણ જેવી સ્ટાર કામ કરશે તેવુ મે વિચાર્યું પણ ન હતું. જ્યારે દીપિકા પાદૂકોણે પહેલી વાર આ પોસ્ટર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું અને મે જોયુ તો મારાથી મોંઢામાંથી વાહ નીકળી ગયું. ઉલ્લેખનીય છે કે, લક્ષ્મી જ્યારે માત્ર 15 વર્ષની હતી ત્યારે તેની પર કોઈ વ્યક્તિએ એસિડ ફેકી દીધું હતું જેના કારણે લક્ષ્મીનો ચહેરો ખુબ ખરાબ રીતે દાઝી ગયો હતો


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2019 03:23 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK