Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા અને રણવીર નચ બલિયેમાં નહીં દેખાય, આ છે કારણ

દીપિકા અને રણવીર નચ બલિયેમાં નહીં દેખાય, આ છે કારણ

30 June, 2019 08:14 PM IST | મુંબઈ

દીપિકા અને રણવીર નચ બલિયેમાં નહીં દેખાય, આ છે કારણ

File Photo

File Photo


છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે નચ બલિયેની નવી સિઝનની શરૂઆત કરાવશે. બી ટાઉનમાં ચર્ચા એવી છે કે આ રિયલ લાઈફ કપલ નચ બલિયેના પહેલા એપિસોડમાં ગેસ્ટ તરીકે હાજર રહી શકે છે. જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ માત્ર અફવા છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ નચ બલિયેમાં હાજરી નથી આપી રહ્યા.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ માત્ર અફવા છે. દીપિકા અને રણવીર સિંહ બંને પાસે હાલ ઢગલાબંધ કામ છે. તેમના વર્ક કમિટમેન્ટ્સ એટલા છે કે તેમની પાસે નચ બલિયેમાં હાજરી આપવાનો કોઈ સમય જ નથી. અને આ મામલે ક્યારેય કોઈ ચર્ચા પણ નથી થઈ. એટલે નચ બલિયેમાં બંનેની હાજરી એ માત્ર અફવા છે.



મળતી માહિતી પ્રમાણે રણવીરસિંહ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 83ના શૂટિંગ માટે ભારતની બહાર છે. રણવીરસિંહ સપ્ટેમ્બર સુધી આ ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં છે. તો દીપિકા હાલ પોતાના અપકમિંગ ફિલ્મ છપાક, 83 અને બીજા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. એટલે બંને પાસે નચ બલિયેમાં હાજરી આપવાનો કોઈ સમય જ નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રણવીરસિંહ અને દીપિકા નચ બલિયેમાં નથી દેખાઈ રહ્યા.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2019 08:14 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK