ચાલુ પાન્ડે બનશે સુદામા
દયાશંકર પાન્ડે
દયાશંકર પાન્ડે ટીવી-ઇન્ડસ્ટ્રીમાં જરા પણ નાનું નામ નથી. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ચાલુ પાન્ડે નામનું ઇન્સ્પેક્ટરનું કૅરૅક્ટર નિભાવતા દયાશંકર પાન્ડે હવે ઍન્ડ ટીવી પર આવતી સિરિયલ ‘પરમાવતાર શ્રીકૃષ્ણ’માં પણ દેખાશે. આ સિરિયલમાં દયાશંકર પાન્ડે સુદામાનું કૅરૅક્ટર નિભાવવાના છે. સુદામા અને કૃષ્ણની વાર્તા દેશઆખું જાણે છે. તાંદુલ ખાઈને સુદામાનાં તમામ દુઃખદર્દ અને વ્યાધિઓ હરી લેનાર કૃષ્ણના અંગત મિત્ર સુદામા કૃષ્ણ પાસે જાય છે મદદ માગવા, પણ તેમની જબાન ઊપડતી નથી અને પરમકૃપાળુ કૃષ્ણ પારખી જાય છે અને તેમને વણમાગી મદદ આપી દે છે. સુદામા અને કૃષ્ણની આ દોસ્તીનો ટ્રૅક દસેક દિવસમાં શરૂ થશે. સુદામા પોરબંદરના હતા અને દયાશંકર પાન્ડે પણ ગુજરાતી પર ખાસ્સું પ્રભુત્વ ધરાવે છે. કહેવાય છે કે આ વાત પણ દયાશંકરને સુદામાનો રોલ અપાવવામાં મહત્વનો ભાગ ભજવી ગઈ છે.