Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય દત્ત એક હજાર ફૅમિલીને ભોજન પૂરું પાડશે

સંજય દત્ત એક હજાર ફૅમિલીને ભોજન પૂરું પાડશે

15 April, 2020 11:30 AM IST | Mumbai
Agencies

સંજય દત્ત એક હજાર ફૅમિલીને ભોજન પૂરું પાડશે

સંજય દત્ત

સંજય દત્ત


સંજય દત્તે એક હજાર ફૅમિલીને ભોજન આપવાનું નક્કી કર્યું છે. લૉકડાઉનને ૩ મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ દરમ્યાન મુંબઈમાં ગરીબ લોકોને ભોજન માટે ખૂબ જ તકલીફ પડશે એ માટે સંજય દત્તે આ નિર્ણય લીધો છે. આ વિશે સંજય દત્તે કહ્યું હતું કે ‘આપણા દેશ માટે આ ખૂબ જ કપરો સમય છે. લોકો તેમનાથી બનતી મદદ દરેક વ્યક્તિને કરી રહ્યા છે પછી એ ઘરમાં રહીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું જ કેમ ન હોય. મારાથી શક્ય હોય એટલા લોકોને મદદ માટે હું પ્રયત્ન કરી રહ્યો છું.’

આ સાથે જ સંજય દત્તે લોકોને ઘરમાં રહીને ફિટ રહેવા માટે પણ વિનંતી કરી છે. તે સાવરકર શેલ્ટર સાથે મળીને બોરિવલીથી બાંદરાની વચ્ચે રહેતા ગરીબોને મદદ કરશે. આ વિશે સંજય દત્તે કહ્યું હતું કે ‘આ પ્લાનને પૂરો પાડવા માટે સાવરકર શેલ્ટર ખૂબ જ મદદગાર રહ્યું છે. તેમણે આ કામ પાર પાડવા માટે ખૂબ જ મહેનત કરી છે અને એ બદલ હું તેમનો આભાર માનું છું. આશા રાખું છું કે એકબીજાને મદદ કરીને આપણે આ કપરી પરિસ્થિતિમાંથી બહાર આવી શકીશું.’


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2020 11:30 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK