Coronavirus Outbreak: કનિકા કપુરનો છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ, ફૅન્સ ખુશખુશાલ
કનિકા કપુર
લંડનથી પરત ફર્યા બાદ કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં આવેલી બોલિવુડ ગાયિકા કનિકા કપુરનો રીપોર્ટ આખરે નેગેટીવ આવ્યો છે કનિકાનો આ છઠ્ઠો રીપોર્ટ છે. આ પહેલા ગાયિકાના પાંચેય રીપોર્ટ પોઝેટિવ આવ્યા હતા. અત્યારે લખનઉની સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ (SGPGI)માં તેની સરાવર ચાલી રહી છે. જો ગાયિકાનો સાતમો રીપોર્ટ પણ નેગેટીવ આવશે તો જ તેને હૉસ્પિટલમાંથી રજા આપવામં આવશે તેમ હૉસ્પિટલના ડાયરેક્ટર પ્રોફેસર આર.કે.ધીમને જણાવ્યું હતું. પરંતુ ઘરે ગયા બાદ અભિનેત્રીની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.
કનિકાનોટેસ્ટ નેગેટિવ આવાત ફૅન્સ ખુશખુશાલ થઈ ગયા છે. પંતુ તેનો હજી એક ટેસ્ટ કરવામાં અઅડસે જો એ ટેસ્ટ નેગેટીવ આવશે તો જ તેને ઘરે જવાની મંજુરી આપવામાં આવશે.
ADVERTISEMENT
લંડનથી પાછા ફર્યા બાદ કનિકાને આઈસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું હોવા છતા તેણે સોશ્યલ ગેધરિંગ કર્યા હોવાથી તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કનિકાનો કોરોનાનો રીપોર્ટ પોઝેટીવ આવતા તેને 20 માર્ચે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેના સતત પંચ રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી કનિકા પહેલી સેલિબ્રિટી છે જેને કોરોના થયો હોય.