Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Lockdown દરમિયાન આલિયાને આવી પિતાની યાદ, સાથે આ તસવીર થઈ રહી છે વાયરલ

Lockdown દરમિયાન આલિયાને આવી પિતાની યાદ, સાથે આ તસવીર થઈ રહી છે વાયરલ

27 March, 2020 07:36 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lockdown દરમિયાન આલિયાને આવી પિતાની યાદ, સાથે આ તસવીર થઈ રહી છે વાયરલ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


ભારતમાં કોરોના વાયરસથી બચવા માટે વડાપ્રધાન દ્વારા જાહેર લૉકડાઉનને સફળ બનાવવા માટે બધાં જ સેલિબ્રિટીઝ ભાગ લઈ રહ્યા છે. લોકો પોતાના ઘરની બહાર ફક્ત પોતાની જરૂરિયાતની વસ્તુ લેવા માટે જ નીકળી રહ્યા છે. કેટલાક સેલિબ્રિટીઝ ઘરે રહીને ફેમિલી ટાઇમ એન્જૉય કરી રહ્યા છે તો કેટલાકે આ તક પણ નથી મળી શકી.

તાજેતરમાં જ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની અને પિતા મહેશ ભટ્ટની તસવીર શૅર કરી. આ તસવીર સાથે તેણે લખ્યું કે, "ઘરે રહો અને સુરક્ષિત રહો, જૂની તસવીરો જુઓ, જેવી રીતે હું પિતાને મિસ કરી રહી છું."



 
 
 
View this post on Instagram

Stay home &... go through old pictures when you’re missing your daddy? #throwbackthursday #stayhomestaysafe

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) onMar 26, 2020 at 2:32am PDT


લૉકડાઉન દરમિયાન આ ખૂબ જ સુંદર તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની છે. આમ તો રણબીર અને આલિયાની તસવીરો વાયરલ થાય તેમાં કોઇ નવી વાત નથી પણ આ તસવીર ખાસ છે. આ તસવીર ન તો કોઇએ ક્લિક કરી છે કે ન તો કોઇ ફોટોશૂટની છે.


આ તસવીર હાથથી બનાવવામાં આવી છે. આ તસવીરમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના ગેટઅપમાં જોવા મળે છે. આલિયાએ લગ્નનો લહેંગો પહેર્યો છે તો રણબીરે લગ્નની શેરવાની. બન્ને સાથે ખૂબ જ ખુશ દેખાય છે.

આ પહેલા રણબીર અને આલિયાના લગ્નની વધુ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં બન્ને એક બીજાને વરમાળા પહેરાવતાં દેખાતા હતા. જો કે, તે તસવીર સ્કેચિંગની ન હતી, ફોટોશૉપ કરવામાં આવી હતી. આ સિવાય બન્નેના લગ્નના કાર્ડ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે.

નોંધનીય છે કે રણબીર અને આલિયા લગભગ 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તાજેતરમાં જ બન્નેના બ્રેકઅપની ચર્ચા પણ હતી પણ તે ફક્ત અફવા જ હતી. કહેવામાં આવતું હતું કે આલિયાને રણબીરના વ્યવહારથી તકલીફ છે જેને કારણે બન્ને વચ્ચે અંતર આવી ગયું છે. પણ સ્પૉટબૉય પ્રમાણે તે બધી જ અફવાઓ હતી. રણબીર અને આલિયા વચ્ચે બધું જ બરાબર છે.

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2020 07:36 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK