કાજોલ કેમ થાય છે સિંગાપોર શિફ્ટ, શું દીકરી ન્યાસા માટે લીધો આવો નિર્ણય
કાજોલ અને ન્યાસા
દરેક વ્યક્તિ કોરોના વાઈરસથી પીડાય છે. જે સામાન્ય છે અને તેનાથી બચવા માટે દરેક પોત-પોતાના ઘરમાં કેદ છે. બૉલીવુડ સ્ટાર્સ આવા સંજોગોમાં પોતાના બાળકોને લઈને ખૂબ જ ચિંતિત છે. અજય દેવગન અને કાજોલને દીકરી ન્યાસાની ચિંતા સતાવી રહી છે. ન્યાસા હાલ ભારતમાં છે, તે સિંગાપોરમાં રહે છે અને ત્યાં અભ્યાસ કરે છે. પરંતુ એવા અહેવાલો છે કે હવે અજય અને કાજોલ તેમની પુત્રી ન્યાસાને સિંગાપોરમાં એકલીને રહેવા મોકલી શકે એમ નથી. એટલે કાજોલે સિંગાપુર જવાનો પ્લાન બનાવ્યો છે.
અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા પોતાના લૂક્સને લઈને હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે. એક અહેવાલ મુજબ, કોરોના કાળના કારણે, કાજોલ તેની પુત્રીને એકલા સિંગાપોર મોકલવા માંગતી નથી. તો તેણે કહ્યું કે તે પુત્રી ન્યાસા સાથે સિંગાપોરમાં થોડો સમય પસાર કરશે. તેમ જ અજય દેવગન પુત્ર યુગ સાથે મુંબઈમાં જ રહેશે.
ADVERTISEMENT
કાજોલ અને અજય દેવગન નથી ઈચ્છતા કે ન્યાસાના અભ્યાસ પર કોઈ આડઅસર થાય. એટલે હવે કાજોલ અને ન્યાસા ન્યૂ-યૉર્કમાં રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્યાસા સિંગાપોરની યુનાઇટેડ વર્લ્ડ કૉલેજ ઓફ સાઉથ ઇસ્ટ એશિયામાં અભ્યાસ કરી રહી છે. વર્ષ 2018માં અજય દેવગને સિંગાપોરમાં એક એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું, જેથી ન્યાસાને રહેવામાં કોઈ તકલીફ ન પડે. કાજોલ એ જ ફ્લેટમાં જશે અને તેની પુત્રી સાથે રહેશે.
રિપોર્ટ અનુસાર અજય દેવગન હાલમાં બે સ્ક્રિપ્ટ્સ પર કામ કરી રહ્યો છે. આ સાથે, તે પોતાની આગામી ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન કામમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ, ભુજ: પ્રાઇડ ઑફ ઇન્ડિયા અને સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક ફિલ્મ મેદાન પર કામ કરવાનું બાકી છે. તેથી, તે ભારતમાં જ રહેશે.
તમને જણાવી દઈએ કે ન્યાસા થોડા સમયથી સિંગાપોરમાં છે. તે મોટે ભાગે રજા પર માતાપિતા સાથે સમય પસાર કરવા માટે મુંબઈ આવે છે. કાજોલ અને અજય દેવગન પણ પોતાના ફ્રી સમયમાં હંમેશા બન્ને બાળકો ન્યાસા અને યુગ સાથે જ સમય પસાર કરે છે.