Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus: મલ્હાર ઠાકરે PM CARES ફંડમાં રૂ.1 લાખનું દાન કર્યું

Coronavirus: મલ્હાર ઠાકરે PM CARES ફંડમાં રૂ.1 લાખનું દાન કર્યું

30 March, 2020 08:39 PM IST | Ahmedabad
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus: મલ્હાર ઠાકરે PM CARES ફંડમાં રૂ.1 લાખનું દાન કર્યું

મલ્હાર ઠાકર

મલ્હાર ઠાકર


ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકરે પણ દેશ પ્રત્યેની પોતાની ફરજ પુરી કરી અને તે અંગે પોસ્ટ લખીને પોતાના ફેન્સને માહિતી આપી હતી. મલ્હાર ઠાકરે Covid-19 વાઇરસ સામેની લડતમાં PM CARES ફંડમાં પોતાના તરફથી રૂપિયા 1 લાખનું દાન કર્યુ હતું. મલ્હારે હંમેશા એક જવાબદાર વ્યક્તિત્વની છાપ છોડી છે. આ દાન કરીને તેણે ફરી એકવાર સિદ્ધ કર્યું છે કે તે પોતે ખુબ જ કન્સર્ન્ડ સિટીઝન છે.




મલ્હારે 20 હજારનું દાન મુંબઇની થિએટર ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા દાડિયા કામદારો તથા 20 હજાર રૂપિયા અમદાવાદની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા દાડિયા કામદારોને પણ આપ્યું છે વળી 25000ની કિટ સ્પોટબોય્ઝ માટે અને 5000ની રકમ સ્ટ્રે ડૉગ્ઝ માટે પણ આપી છે. મલ્હારના પાત્રો બેફિકરા હોઇ શકે છે પણ તે વાસ્તવિકત જીવનમાં ભારે ઋજુતા ધરાવતો એક્ટર છે તે આ જેશ્ચર્સ સાબિત કરે છે.

 


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2020 08:39 PM IST | Ahmedabad | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK