ઇરફાન અને રિશી કપૂરને દર્દ-એ-દિલ દ્વારા કલર્સ આપશે મ્યુઝિકલ ટ્રિબ્યુટ
ઇરફાન અને રિશી કપૂરના મૃત્યુથી બૉલીવુડની સાથે તેમના ચાહકો પણ દુઃખી છે. તેમના મૃત્યુથી ટીવી ચૅનલોએ તેમની ફિલ્મો દેખાડવાનું શરૂ કરી દીધું હતું. જોકે કલર્ચ ચૅનલ તેમના માટે હવે શો ‘દર્દ-એ-દિલ’ લઈને આવ્યું છે. તેઓ બન્નેની ઍક્ટિંગ સ્ટાઇલ પણ ખૂબ જ અનોખી હતી. તેમની ઍક્ટિંગ દ્વારા તેમણે લોકોને હસાવવાની સાથે રડાવ્યા પણ હતા અને એથી જ તેમને હવે મ્યુઝિકલ ટ્રિબ્યુટ આપવામાં આવી રહ્યું છે. આ શોને રવિવારે બપોરે ૧૨ વાગ્યે રજૂ કરવામાં આવશે. તેમની લાઇફ અને સિદ્ધિઓને સેલિબ્રેટ કરવા માટે ઘણી સેલિબ્રિટીઝ આ શોમાં ભાગ લેશે. આ માટે દરેક સેલિબ્રિટીઝ તેમના ઘરેથી પર્ફોર્મ કરશે. આ સેલિબ્રિટીઝમાં ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા, મનીષ પૉલ, સુખવિંદર સિંહ, આદિત્ય નારાયણ, અબુ મલિક, હિના ખાન, દેવોલીના ભટ્ટાચાર્જી, અર્જુન બિજલાણી અને રાઇઝિંગ સ્ટાર્સના સ્પર્ધક ભાગ લેશે. આ શોમાં બન્ને ઍક્ટર્સનાં ફેમસ સૉન્ગનો પણ સમાવેશ કરવામાં આવશે.