Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કૉમે‌ડીની ક્વીન તનાઝ હવે ફેલાવશે નેગેટિવિટીની માયાજાળ

કૉમે‌ડીની ક્વીન તનાઝ હવે ફેલાવશે નેગેટિવિટીની માયાજાળ

28 September, 2020 09:23 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કૉમે‌ડીની ક્વીન તનાઝ હવે ફેલાવશે નેગેટિવિટીની માયાજાળ

કૉમે‌ડીની ક્વીન તનાઝ હવે ફેલાવશે નેગેટિવિટીની માયાજાળ

કૉમે‌ડીની ક્વીન તનાઝ હવે ફેલાવશે નેગેટિવિટીની માયાજાળ


જો તમારી આંખ સામે તનાઝ ઈરાની આવે તો નૅચરલી ચહેરા પર સ્માઇલ આવી જાય. ટીવી પર અનેક કૉમેડી કૅરૅક્ટર કરનારી તનાઝ પોતાની આ ઇમેજ હવે ભૂંસશે અને ઝીટીવીના શો ‘અપના ટાઇમ ભી આયેગા’થી પહેલી વાર નેગેટિવ કૅરૅક્ટર કરશે. તનાઝ આ શોમાં મહારાણી રાજેશ્વરી સિંહ રાવતના પાત્રમાં જોવા મળવાની છે. કૉમેડીની ક્વીન હોવા છતાં પોતે વેમ્પ બનવાનું કેમ પસંદ કર્યું એ બાબતમાં સ્પષ્ટતા કરતાં તનાઝ કહે છે, ‘જે પ્રકારે રોલ લખાયો છે એનાથી હું જબરદસ્ત ઇમ્પ્રેસ થઈ. મેં અગાઉ ગ્રે કે પછી નેગેટિવ શેડ્સના કહેવાય એવાં કૅરૅક્ટર થિયેટરમાં કર્યાં છે, પણ ટીવી પર હું પહેલી વાર આવું કૅરૅક્ટર કરીશ. મને થયું કે મારે કશુંક એવું કરવું જોઈએ જે મારામાં રહેલી ઍક્ટ્રેસને ખુશ કરવાનું કામ કરે. કૅરૅક્ટરનો ગેટઅપ કર્યો ત્યાં જ મારામાં એ રંગ આવવાનું શરૂ થઈ ગયું અને મારા ઠસ્સા અને રુઆબમાં પણ એ દેખાવાનું શરૂ થઈ ગયું.’
તનાઝને લાગે છે કે તેણે લીધેલો આ નિર્ણય જરા પણ ખોટો નથી. તનાઝ કહે છે, ‘મને સ્ટેજનો એક્સ્પીરિયન્સ ખૂબ કામ લાગવાનો છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2020 09:23 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK