Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સરોજ ખાન વિરુદ્ધ માનહાનિનો દાવો કરશે ગણેશ આચાર્ય

સરોજ ખાન વિરુદ્ધ માનહાનિનો દાવો કરશે ગણેશ આચાર્ય

30 January, 2020 01:04 PM IST | Mumbai

સરોજ ખાન વિરુદ્ધ માનહાનિનો દાવો કરશે ગણેશ આચાર્ય

ગણેશ આચાર્ય

ગણેશ આચાર્ય


કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ તેની છબી ખરડવાનો આરોપ સરોજ ખાન પર લગાવતાં તેમની વિરુદ્ધ માનહાનિનો દાવો કરવાની તૈયારી દાખવી છે. ગણેશ આચાર્ય વિરુદ્ધ જબરદસ્તી પોર્ન દેખાડવા માટે મહિલા આસિસટન્ટ કોરિયોગ્રાફર દિવ્યા કોટિયાને પોલીસ ફરિયાદ નોંધાવી છે. એને જોતાં પોતાની વિરુદ્ધ ષડ્‌યંત્ર રચાતું હોવાનો આરોપ ગણેશ આચાર્યએ મુક્યો છે. ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન કોરિયોગ્રાફર અસોસિએશન(IFTCA)ના જનરલ સેક્રેટરી ગણેશ આચાર્યએ કહ્યું હતું કે ‘મારી છબી ખરડવા માટે મારા વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીમાં સરોજ ખાન અને તેનાં કલીગ્સ જેવા લોકો મળીને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે. હું આ અસોસિએશન સાથે જોડાયો એટલે તેમનો ધંધો ઠપ થઈ ગયો છે.

આ પણ વાંચો : રંગોલી ચંડેલે કરણ જોહરને કહ્યું: તું તો કંગનાથી દૂર જ રહેજે



હું સરોજ ખાન અને તેની ટીમ વિરુદ્ધ માનહાનિનો દાવો કરવાનો છું. તેઓ ખૂબ નીચલા સ્તરે જઈ રહ્યા છે. તેમનો બિઝનેસ પડી ભાંગ્યો છે એટલે તેઓ આવું કરી રહ્યા છે. તેઓ ઘરે બેસીને ગેરકાયદે પૈસા કમાતા હતાં. હું એની વિરોધમાં હતો. એથી તેમની વિરુદ્ધ લડત ચલાવવા માટે હું પૂરી તાકત લગાવી દઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2020 01:04 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK