Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સતર્કતા અને ડર સાથે કરીઅરમાં આગળ ન વધી શકો : ક્રિતી સૅનન

સતર્કતા અને ડર સાથે કરીઅરમાં આગળ ન વધી શકો : ક્રિતી સૅનન

26 February, 2021 12:58 PM IST | Mumbai
Agencies

સતર્કતા અને ડર સાથે કરીઅરમાં આગળ ન વધી શકો : ક્રિતી સૅનન

સતર્કતા અને ડર સાથે કરીઅરમાં આગળ ન વધી શકો : ક્રિતી સૅનન

સતર્કતા અને ડર સાથે કરીઅરમાં આગળ ન વધી શકો : ક્રિતી સૅનન


ક્રિતી સૅનનનું કહેવું છે કે જો જીવનમાં તમે સતર્ક રહેતા હો તો કરીઅરમાં આગળ ન વધી શકો. ૨૦૨૧નું વર્ષ ક્રિતી માટે ખૂબ વ્યસ્ત છે. તે હાલમાં ‘બચ્ચન પાન્ડે’, ‘મિમી’, ‘આદિપુરુષ’, ‘ભેડિયા’ અને ‘ગનપત’માં બિઝી છે. તેણે ૨૦૧૪માં આવેલી ‘હીરોપંતી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. કરીઅરને લઈને સલાહ આપતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે ડર, સતર્કતાની સાથે તમે કરીઅરમાં આગળ વધી શકો છો. ભય તમને પાછળ ખેંચે છે. જો હું જાણતી હોઉં કે કોઈ પ્રોજેક્ટમાં હું શું કામ કરું છું તો એમાં કોઈ પણ પ્રકારનો ડર નથી હોતો. તમને પહેલેથી ફિલ્મ, સ્ટોરી અને સીન્સની જાણ હોય છે. તમે એ પણ જાણો છો કે તમે કંઈક અલગ વસ્તુ કરી રહ્યા છો. એ કદાચ એક્સપરિમેન્ટલ વસ્તુ હોઈ શકે છે. એને કરવા પાછળનો નિર્ણય તમારો હોય છે. હું અત્યારે જે પણ ફિલ્મોમાં કામ કરી રહી છું એના પર મને ભરોસો છે. આ બધાથી ડરવા કરતાં મારે મારું કામ સારી રીતે કરવું જોઈએ અને સખત મહેનત કરવી જોઈએ. બાકીની વસ્તુ મારા હાથમાં નથી. હું એવું કોઈ પ્રેશર નથી લેવા માગતી કે શું થશે. જો કંઈક ખોટું થશે તો? એના બદલે હું એમ વિચારુ છું કે જો બધું સારી રીતે પાર પડ્યું તો?’


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2021 12:58 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK