Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૅન્સરના દરદીઓને દેખાડાશે તાન્હાજી

કૅન્સરના દરદીઓને દેખાડાશે તાન્હાજી

26 January, 2020 11:35 AM IST | Mumbai Desk

કૅન્સરના દરદીઓને દેખાડાશે તાન્હાજી

કૅન્સરના દરદીઓને દેખાડાશે તાન્હાજી


પરેલની તાતા હૉસ્પિટલ અને કેઇએમ હૉસ્પિટલમાં કૅન્સર અને અન્ય અસાધ્ય રોગોની સારવાર લઈ રહેલાં બાળકો અને તેમના એક સગાને રવિવારે પ્રજાસત્તાક દિને તાન્હાજી ફિલ્મ જોવા મળશે, ‘વિથ આર્ય’ એનજીઓ દ્વારા કુલ ૨૪૬ જણને તાન્હાજી ફિલ્મ હિન્દ માતા થિયેટરમાં બપોરે ૪ વાગ્યાના શોમાં ફ્રીમાં બતાડવામાં આવશે.

આ વિશે વધુ માહિતી આપતા એનજીઓ ‘વિથ આર્ય’ના સંસ્થાપક શીતલ ભાટકરે કહ્યું હતું કે મારા દીકરા આર્યના અસાધ્ય રોગમાં થયેલા મૃત્યુ બાદ મેં અસાધ્ય રોગોથી પીડાતાં બાળકોની સેવા કરવા આ સંસ્થા તેના જ નામ સાથે એટલે કે ‘વિથ આર્ય’ એનજીઓ ચાલુ કરી છે. સંસ્થા દ્વારા ગરીબ દરદીઓને તબીબી સહાય, દવાઓ તો અમે આપીએ જ છીએ, પણ ૨૦૧૫થી તેમના અને તેમના સગા માટે રાહતના દરે માત્ર ૧૦ રૂપિયામાં ભોજન (રોટલી, શાક, ખીચડી અને કેળાનું ભોજન) આપીએ છીએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2020 11:35 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK