ઑન-સ્ક્રીન ઇમેજ તોડવી મારા માટે જરૂરી છે: આમિર અલી
આમિર અલી
આમિર અલીનું કહેવું છે કે ઑન-સ્ક્રીન ઇમેજ તોડવી તેના માટે ખૂબ જરૂરી છે. તેણે ‘નક્સલબારી’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી છે. તેને નવા-નવા પડકારો સ્વીકારવા પસંદ છે. એ વિશે આમિરે કહ્યું હતું કે ‘વર્તમાનમાં ઑન-સ્ક્રીન ઇમેજ તોડવી એક ચૅલેન્જ છે. આ શો દ્વારા મેં એ કર્યું છે. હંમેશાં મને હૅપી, ફની અથવા તો રોમૅન્ટિક છોકરાનો રોલ જ ઑફર કરવામાં આવે છે. જોકે એમાં પણ હું વિવિધતા લાવવાનો પ્રયાસ કરું છું. મને કંઈક એવું જોઈતું હતું જે અલગ હોય. હું ‘નક્સલબારી’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનો છું તો હું મારી ઇમેજને બદલવા માગું છું. હું અલગ એક્પપેરિમેન્ટ કરવા માગુ છું.’