Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીદેવીનું મોત કે મર્ડર? બોની કપૂરે આપ્યો આ જવાબ

શ્રીદેવીનું મોત કે મર્ડર? બોની કપૂરે આપ્યો આ જવાબ

12 July, 2019 06:26 PM IST | મુંબઈ

શ્રીદેવીનું મોત કે મર્ડર? બોની કપૂરે આપ્યો આ જવાબ

શ્રીદેવીનું મોત કે મર્ડર? બોની કપૂરે આપ્યો આ જવાબ

શ્રીદેવીનું મોત કે મર્ડર? બોની કપૂરે આપ્યો આ જવાબ


શ્રીદેવીના બાથટબમાં ડૂબીને થયેલા મોતને દુબઈ પોલીસે ભલે ડૂબીને થયેલું મોત માની લીધું હોય પરંતુ એક કૉલમમાં ડીજીપી ઋષિરાજ સિંહે આ લખીને સનસની મચાવી દીધી છે કે શ્રીદેવીનું મોત એક્સીડેન્ટલ ડેથ નહીં પરંતુ મર્ડરનો મામલો બને છે.

હવે તેના પર શ્રીદેવીના પતિ બોની કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે. બોની કપૂર પાસેથી જ્યારે ડીજીપી ઋષિરાજ સિંહે કરેલા દાવાઓ પર પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો એક પત્રકારને તેમણે કહ્યું કે આવી તથ્યહીન કહાનીઓ પર તેઓ પ્રતિક્રિયા નથી આપવા માંગતા. આ સિવાય તેમને લાગે છે કે આના પર પ્રતિક્રિયા આપવાની જરૂર પણ નથી. જેના પાછળ કારણ એ છે કે આવી કહાનીઓ આવતી રહેશે. બોનીએ આગળ એમ પણ કહ્યું કે આ તમામ વાતો માત્ર કલ્પનાઓ છે.

ડીજીપી ઋષિરાજ સિંહે પોતાની કૉલમમાં લખ્યું હતું કે તેમના મિત્ર જે ફૉરેંસિક એક્સપર્ટ છે અને શ્રીદેવીના મોતના મામલામાં અનેક પરિસ્થિતિજન્ય પુરાવાઓની તરફ ઈશારો કર્યો જે તે પ્રમાણે સૂચવે છે કે શ્રીદેવીની મોત એક્સેડેન્ટલ નથી. તેમણે આગે એ પણ કહ્યું કે જો શ્રીદેવી નશામાં હતી તો પણ તે બાથટબમાં ડૂબી શકે તેમ નહોતી. તેની પાછળ તેમણે કારણ એ આપ્યું કે બાથ ટબમાં કોઈ કેમ ડૂબી શકે છે.

આ પણ વાંચોઃ પૂજા ઝવેરીઃ સાઉથની ફિલ્મો બાદ હવે મલ્હાર સાથે જોડી જમાવશે આ ગ્લેમરસ ગુજ્જુ ગર્લ



દુબઈમાં પરિવારમાં લગ્ન હતા તે દરમિયાન શ્રીદેવીનું બાથટબમાં ડૂબીને મોત થયું હતું. શ્રીદેવીનું મોત ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક શૉક સમાન હતું. તેમનું જાવું અનેક લોકોને ગમગીન કરીને ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2019 06:26 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK