Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લ્યો છેક હવે કરી ચોખવટ તાહિરા કશ્યપે કીધું, આ રાક્ષસી મારી મમ્મી નથી

લ્યો છેક હવે કરી ચોખવટ તાહિરા કશ્યપે કીધું, આ રાક્ષસી મારી મમ્મી નથી

20 April, 2020 12:15 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

લ્યો છેક હવે કરી ચોખવટ તાહિરા કશ્યપે કીધું, આ રાક્ષસી મારી મમ્મી નથી

અશોક વાટિકામાં સીતા સાથે હતી ત્રિજટા

અશોક વાટિકામાં સીતા સાથે હતી ત્રિજટા


છેલ્લા કેટલાક દિવસોથી રામાયણનાં ત્રિજટાનું પાત્ર ભજવનારી મહિલા આયુષ્યમાન ખુરાનાની સાસુ છે અને તાહિરા કશ્યપની મમ્મી છે તેવી ખબરોએ જોર પકડ્યું હતું. પહેલાં તો બે-ત્રણ દિવસ આ અંગે આયુષ્યમાન કે તેની પત્નીએ કંઇ ફોડ ન પાડ્યો પણ આજે તાહિરા કશ્યપે ટ્વિટર પર જાણકારી આપતાં કહ્યુ હતું કે આ અભિનેત્રી તેની મમ્મી નથી. તેણે ટ્વિટમાં લખ્યું છે કે આ રિપોર્ટ અનુસાર મારી મમ્મી અનિતા કશ્યપે રામાયણમાં અભિનય કર્યો હતો પણ આ સમાચાર ખોટા છે અને તે શિક્ષણવિદ્ છે તેને આ શો સાથે કોઇ સંબંધ નથી. આ ચોખવટ કરી તાહિરાએ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકી દીધું છે.




ત્રિજટા અશોકવાટિકામાં સીતાની સારસંભાળ રાખનારી એક રાક્ષસી હતી. રામાયમણ સિરીયલમાં આ દ્રશ્ય પણ છે અને આ સિરીયલ દૂરદર્શન પર ફરી દેખાઇ હોવાથી તેની ચર્ચાઓ અટકતી જ નથી. લોકો ભારે ઉત્સાહથી આ સિરિયલ જોઇ રહયાં છે જેનો ઉત્તરકાંડ હવે ચાલુ થશે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2020 12:15 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK