ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચનને પણ નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરાયા
ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન
બૉલીવુડનાં ફર્સ્ટ ફેમિલીમાં કોરોનાએ (Corona Virus) ચાર જણને સપાટામાં લીધા છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) તો નાણાવટીમાં સારવાર લઇ જ રહ્યા છે પણ જાણવા મળ્યું છે કે હવે ઐશ્વર્યા (Aishwarya Rai Bachchan) તથા પૌત્રી આરાધ્યાને (Aradhya Bachchan) પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને સામાન્ય તાવ આવતો હતો જેને પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કરાયો. સાંજે આશરે 8:30 વાગ્યે તેમને હૉસ્પિટલ એમ્બ્યુલન્સમાં નાણાવટી લવાયા હતા.
Mumbai: Aaradhya Bachchan, daughter of Abhishek Bachchan and Aishwariya Rai Bachchan, who tested positive for #COVID19 has been admitted at Nanavati Hospital. https://t.co/ZSDdDHwIDE
— ANI (@ANI) July 17, 2020
ADVERTISEMENT
શનિવારે (11 જુલાઈ)ના રોજ અમિતાભ અને અભિષેકનો કોરોના પોઝિટિવ ટેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ તેમના પરિવારના સભ્યો અને સ્ટાફની પણ તપાસ કરવામાં આવી હતી. હવે ઐશ્વર્યા અને તેમની દિકરી આરાધ્યામાં મામૂલી લક્ષણ જણાતાં તેમને ઘરે જ રખાયા હતા.હવે 6 દિવસ બાદ ઐશ્વર્યા તથા આરાધ્યાને તાવના સમાચારથી ચિંતા સર્જાઈ છે.