કરણ જોહર ટ્વિટર પર હવે માત્ર આ આઠ જણાને જ ફોલો કરે છે
કરણ જોહર પર મુઝફ્ફર પુર બિહારમાં કેસ ફાઇલ કરાયો છે અને તેની સાથે બીજા સાત જણા સામે કેસ ફાઇલ કરવામાં આવ્યો છે.
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને પગલે ફિલ્મ ઉદ્યોગમાં સગાવાદનાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે અને એમાં ય ખાસ કરીને કરણ જોહરને આડે હાથે લેવામાં આવ્યો છે. ઇન્ટરનેટ પર તેની સતત ટીકા થઇ રહી છે અને સોશ્યલ મીડિયા પર તેનો બૉયકોટ કરવાની વાતો પણ ચાલી છે. તેના અને આલિયા ભટ્ટનાં સોશ્યલ મીડિયો ફોલોઅર્સ પણ અટકી ગયા છે. આ બધા ઘોંઘાટની વચ્ચે કરણ જોહરેપોતે સોશ્યલ મીડિયા પર અને તેમાંય ખાસ કરીને ટ્વિટર પર પોતે જેટલા લોકોને ફોલો કરતા હતા તેમાંથી મોટાભાગનાને ફોલો કરવાનું બંધ કરી દીધું છે. હવે કરણ જોહર સોશ્યલ મીડિયા પર માત્ર આઠ જ જણને ફોલો કરે છે. આ આઠ જણમાંથી ચાર જણ તો ધર્મા પ્રોડક્શન્સમાં કામ કરનારા લોકો છે જે ધર્માંમાં અગત્યની પૉઝિશન ધરાવે છે અને બાકી અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી અને શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
કરણ જોહર પર મુઝફ્ફર પુર બિહારમાં કેસ ફાઇલ કરાયો છે અને તેની સાથે બીજા સાત જણા સામે કેસ ફાઇલ કરવામાં આવ્યો છે.આ બધા ઘોંઘાટની વચ્ચે કરણ જોહરેપોતે સોશ્યલ મીડિયા પર અને તેમાંય ખાસ કરીને ટ્વિટર પર પોતે જેટલા લોકોને ફોલો કરતા હતા તેમાંથી મોટાભાગનાને ફોલો કરવાનું બંધ કરી દીધું છે.