એક્ટર સંજય દત્તને શ્વાસની તકલીફ થતા લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા
સંજય દત્ત
બૉલીવુડ એક્ટર સંજય દત્તને મુંબઇની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયાછે. શનિવારે શ્વાસની તકલીફ થવાની ફરિયાદ કરતાં એક્ટરને તરત હૉસ્પિટલમાં દાખલ કરાયા. રિપોર્ટ્સ અનુસાર તેમને છાતીમાં ગભરામણ થતી હતી અને તેમનું ઑક્સિજન લેવલ પણ અનિયમિત હતું.
આ પણ વાંચોઃ Sanjay Dutt: ડ્રગ્ઝ, ડિપ્રેશન, ત્રણ લગ્ન, જેલવાસની આંટીઘૂંટી પછી પણ સફળ જિંદગી
ADVERTISEMENT
રેપિડ એન્ટિજન ટેસ્ટ દ્વારા તેમનો Covid-19નો ટેસ્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હતો. તેમનો સ્વૉબ ટેસ્ટ પણ લેવાયો છે જેના પરિણામ બાદમાં જણાશે. સંજય દત્તનો જન્મદિવસ થોડા વખત પહેલાં જ ગયો છે અને એક્ટરની વય 61 વર્ષ છે.