Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અલીગઢની ઘટનાને લઈને ભડક્યું બૉલીવુડ

અલીગઢની ઘટનાને લઈને ભડક્યું બૉલીવુડ

08 June, 2019 10:46 AM IST | મુંબઈ

અલીગઢની ઘટનાને લઈને ભડક્યું બૉલીવુડ

અલીગઢની ઘટનાને લઈને ભડક્યું બૉલીવુડ

અલીગઢની ઘટનાને લઈને ભડક્યું બૉલીવુડ


અલીગઢમાં અઢી વર્ષની બાળકીને ગળું દબાવી મારી નાખવામાં આવી હોવાના સમાચારને લઈને બૉલીવુડની સેલિબ્રિટીઓએ પણ રોષ વ્યક્ત કર્યો છે. આ બાળકીને મારી નાખી ખૂબ જ નિર્દયતાથી તેની આંખ પણ ફોડી નાખવામાં આવી હતી. આ કેસમાં બે આરોપીઓને પકડવામાં આવ્યા છે અને આ કેસને ફાસ્ટટ્રૅક કોર્ટમાં લઈ જવાની કોશિશ કરવામાં આવી રહી છે. દીકરીના પપ્પાએ દસ હજાર રૂપિયાની લોન લીધી હતી અને એ ન ચૂકવી શકતાં તેનું ખૂન કરવામાં આવ્યું હતું. આ વિશે કઈ-કઈ બૉલીવુડની સેલિબ્રિટીએ તેમનો અવાજ ઉઠાવ્યો એ જોઈએ :

નાની બાળકી વિશે જાણીને ખૂબ જ દુઃખી, ભયભીત અને ગુસ્સામાં છું. આપણે આપણાં બાળકોને આ પ્રકારની દુનિયામાં રાખવા નથી ઇચ્છતા. આ નિર્દય ગુના માટે જલદી અને ખૂબ જ ગંભીર સજા થવી જોઈએ
- અક્ષયકુમાર



અઢી વર્ષની નાની બાળકીનું ખૂબ જ હિંસક રીતે ખૂન કરવામાં આવ્યું હોવાનું જાણીને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. આવો ગુનો કરનાર જાનવરને ખૂબ જ જલદી સજા આપવામાં આવે એ માટે હું સ્મૃતિ ઈરાનીને વિનંતી કરું છું.
- ટ્‍‍વિન્કલ ખન્‍ના


જંગલીઓ દ્વારા એક નિર્દોષ વ્યક્તિનો જીવવાનો અધિકાર લઈ લેવામાં આવ્યો એ વિશે વાંચીને પણ ખૂબ જ ગુસ્સો આવે છે. આ જંગલીપણું છે. તેની ફૅમિલી માટે પ્રાર્થના કરું છું. આ દુનિયા શું બની ગઈ છે?
- અનુષ્કા શર્મા

મને માફ કરજે કે તારે એવી દુનિયામાં રહેવું પડ્યું જ્યાં માનવીઓ માનવતાને નથી સમજતા. તું એક એન્જલ હોવાથી તારા પર ઈશ્વરની હંમેશાં કૃપા રહે એવી પ્રાર્થના.
- સની લીઓની


આ ખૂબ જ ઘાતકી અને જંગલીપણું છે. તેની ફૅમિલી માટે હું પ્રાર્થના કરું છું. તેમને ન્યાય મળવો જોઈએ.
- આયુષ્માન ખુરાના

ગુસ્સે છું. ડરી ગયો છું. શરમ પણ આવી રહી છે અને અઢી વર્ષની બાળકીનું ખૂન થયું હોવાથી ખૂબ જ દુઃખ પણ છે. તેમને જેટલી સજા આપવામાં આવે એ ઓછી છે અને એ જલદી મળવી જોઈએ.
- અનુપમ ખેર

આ ખૂબ જ ભયાનક છે. આપણા દેશમાં મહિલાઓ સાથે શું થઈ રહ્યું છે અને ખાસ કરીને બાળકો સાથે એનાથી મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે. અમે તારી સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. આવું કૃત્ય કરનારાઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ
- જેનિલિયા દેશમુખ

છોકરી સાથે જે થયું એ ખૂબ જ દયનીય છે. હું તેના માટે અને તેની ફૅમિલી માટે પ્રાર્થના કરું છું. હું લોકોને એ પણ વિનંતી કરું છું કે આ ઘટનાનો ઉપયોગ પોતાના નિજી ફાયદા માટે ન કરે. અહીં છોકરીનું મૃત્યુ થયું છે, પરંતુ એ માટે ખોટી નફરત ન ફેલાવવી.
- સોનમ કપૂર આહુજા

આ વિશે સાંભળીને પણ ગુસ્સો આવી રહ્યો છે. આવું કરવાનું કોઈ કેવી રીતે વિચારી પણ શકે?
- અભિષેક બચ્ચન

આ પણ વાંચો : આલિયા નહીં, પરંતુ દીપિકા બનશે રણબીરની હિરોઇન?

નાનાં બાળકો પણ જ્યાં સેફ ન હોય એવી દુનિયામાં રહેવું ખૂબ જ જોખમભર્યું છે. હું સરકારને વિનંતી કરું છું કે આવું કૃત્ય ફરી ક્યારેય ન થાય એની કાળજી રાખે.- સિદ્ધાર્થ મલ્હોત્રા

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2019 10:46 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK