મૃત્યુ બાદ ઑર્ગન ડોનેટ કરશે રાહુલ બોઝ
રાહુલ બોઝ
રાહુલ બોઝ જણાવ્યું છે કે તેનાં નિધન બાદ તે શરીરનો દરેક અવયવ દાન કરવાનો છે. એનાં માટે તે ટૂંક સમયમાં પ્રતિજ્ઞા લેવાનો છે. તેણે તાજેતરમાં જ માહિતી આપી હતી કે તે તેનાં શરીરને દાન કરવાનો છે. તે હાડકા, ટિશ્યુઝ, કૉર્નિયા અને જે ભાગથી લોકોને નવ જીવન મળવાનું હોય એનુ દાન કરવાનો છે. રાહુલ સમાજના કલ્યાણ માટે વિવિધ કામમાં જોડાયેલો છે. તે બાળકોનાં શિક્ષણની સાથે જ તેમનું શોષણ થતુ અટકે એ દિશામાં કામ કરી રહ્યો છે. અંગદાન માટે તે જલદી જ અંગદાન માટે હસ્તાક્ષર કરવાનો છે. આ વિશે રાહુલ બૉસે કહ્યું હતું કે ‘આ મારા માટે ખૂબ જ સરળ છે.
આ પણ વાંચો : મારા ઍક્ટર બનવાથી મારા પેરન્ટ્સને ખૂબ ગર્વ થયો હતો : રાજકુમાર રાવ
ADVERTISEMENT
જરૂરતમંદ લોકો સારુ જીવન જીવી શકે એ માટે હું મદદ કરી રહ્યો છું. આ કાર્યમાં હું છેલ્લા ૧૪ વર્ષથી જોડાયેલો છું. સાથે જ અન્ય નાના-નાના કાર્યોને પણ હું સપોર્ટ કરતો રહું છું. એથી જો હું અંગદાન કરીને અન્ય જરૂરતમંદ લોકોને કામમાં આવી શકું તો એ મારા માટે સારી વાત છે. તમારા અવસાન બાદ જો અંગદાનથી તમારા શરીરનો ઉપયોગ ૮થી ૯ લોકોને લાભ પહોંચાડી શકે છે તો એનાથી સારું કર્મ કંઇ ન હોઈ શકે.’