કાળિયાર મામલે વધી શકે સૈફ સહિત અન્ય સ્ટાર્સની મુશ્કેલીઓ
જોધપુર હાઈકોર્ટ દ્વારા નોટિસ
કાળિયાર શિકાર મામલે મુક્ત થયેલા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુની પરેશાની ફરી એકવાર વધી શકે છે. રાજસ્થાન સરકારે આ મામલે જોધપુર ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટે આપેલા નિર્ણને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જોધપુર હાઈકોર્ટ દ્વારા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુ સહિત નીલમ કોઠારી અને દુષ્યંત સિંહને નોટિસ ફટકારી છે. આ પહેલા આવેલા નિર્ણયમાં સલમાન ખાન સિવાય બધાને આરોપ મુક્ત કરાયા હતા.
સ્થાનીય કોર્ટના કાળિયાર મામલે નિર્ણયને પડકારતા રાજ્ય સરકાર દ્વારા જોધપુર હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સ્થાનીય કોર્ટે નિર્ણય સંભળાવતા સલમાન ખાન સિવાય સૈફ અલી ખાન સહિત અન્ય લોકોને આરોપમુક્ત જાહેર કર્યા હતા જો કે કાળિયાર કેસ હાઈકોર્ટમાં જતા પ્રત્યેકને નોટિસ પાઠવવામાં આવી છે જેમાં સૈફ અલી ખાન સહિત સોનાલી બેન્દ્રે, નીલમ કોઠારી, તબુ અને દુષ્યંત સિંહને નોટિસ ફટકારી છે. 2018માં આવેલા નિર્ણયમાં સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી જ્યારે અન્યને દોષમુક્ત જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો: લોકસભા ચુંટણીની જાહેરાત થતાં GUJCET પરીક્ષાની ત્રીજીવાર તારીખ બદલાશે
કાળિયાર મામલો 20 વર્ષ કરતા પણ જુનો છે. ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'ના શુટિંગ દરમિયાન જોધપુરના કાંકાણીમાં સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો હતો. સલમાન ખાન સાથે સૈફ અલી ખાન, નીલમ, તબુ, સોનાલી બેન્દ્રે, દુષ્યંત સિંહ પણ હતા. 20 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં 2018માં સ્થાનીય કોર્ટ દ્વારા નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો જેમાં સલમાન ખાનને સજા ફટકારવામાં આવી હતી જો કે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાતા અન્ય સેલેબ્સની મુશ્કેલી વધી શકે છે.