Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટમાં ન થયા હાજર, જાણો કારણ

સલમાન ખાન કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટમાં ન થયા હાજર, જાણો કારણ

27 September, 2019 01:39 PM IST | જોધપુર

સલમાન ખાન કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટમાં ન થયા હાજર, જાણો કારણ

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાન આજે જોધપુરના કાળા હરણ મામલાની સુનાવણી માટે રજૂ નથી થયા. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સલમાનને જાનથી મારવાની ધમકી સોપૂ ગેંગે આપી હતી. સલમાન ખાનના વકીલે તેની સુરક્ષાનું કારણ આપ્યું છે. જેના કારણે સલમાન નથી પહોંચ્યા. મામલાની આગામી સુનાવણીની તારીખ 19 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.




સલમાન ખાન સામેના કાળિયારના શિકારના મામલાની જોધપુર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેમને આજે કોર્ટમાં રજૂ પણ થવાનું હતું. જો કે તેમને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ તેઓ હાજર નથી રહ્યા.


આ પણ જુઓઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....

સલમાન ખાનના વકીલના પ્રમાણે સતત મળી રહેલી ધમકીઓના કારણે સલમાન ખાન કોર્ટમાં હાજર નહીં રહે. એ પણ જણાવવામાં આવ્યું કે તેમની તબિયત સારી નથી. કોર્ટે આ મામલામાં સુનાવણીની આગામી તારીખ પણ આપી દીધી છે. જે પ્રમાણે સલમાન ખાનને 19 ડિસેમ્બરે જોધપુર કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે તેમને પહેલા પણ બિશ્નોઈ સમાજના નામથી જાનથી પારવાની ધમકી આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2019 01:39 PM IST | જોધપુર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK