સલમાન ખાન કાળિયાર શિકાર કેસમાં જોધપુર કોર્ટમાં ન થયા હાજર, જાણો કારણ
સલમાન ખાન
સલમાન ખાન આજે જોધપુરના કાળા હરણ મામલાની સુનાવણી માટે રજૂ નથી થયા. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સલમાનને જાનથી મારવાની ધમકી સોપૂ ગેંગે આપી હતી. સલમાન ખાનના વકીલે તેની સુરક્ષાનું કારણ આપ્યું છે. જેના કારણે સલમાન નથી પહોંચ્યા. મામલાની આગામી સુનાવણીની તારીખ 19 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.
1998 Blackbuck poaching case: Jodhpur District and Sessions Court fixes 19th December as the next date of hearing in the case; Salman Khan did not appear before the court today. pic.twitter.com/s2pirQZOuo
— ANI (@ANI) September 27, 2019
ADVERTISEMENT
સલમાન ખાન સામેના કાળિયારના શિકારના મામલાની જોધપુર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેમને આજે કોર્ટમાં રજૂ પણ થવાનું હતું. જો કે તેમને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ તેઓ હાજર નથી રહ્યા.
આ પણ જુઓઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....
સલમાન ખાનના વકીલના પ્રમાણે સતત મળી રહેલી ધમકીઓના કારણે સલમાન ખાન કોર્ટમાં હાજર નહીં રહે. એ પણ જણાવવામાં આવ્યું કે તેમની તબિયત સારી નથી. કોર્ટે આ મામલામાં સુનાવણીની આગામી તારીખ પણ આપી દીધી છે. જે પ્રમાણે સલમાન ખાનને 19 ડિસેમ્બરે જોધપુર કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે તેમને પહેલા પણ બિશ્નોઈ સમાજના નામથી જાનથી પારવાની ધમકી આપવામાં આવી છે.