Bigg Boss 14: શૉના મેકર્સે લીધો મોટો નિર્ણય, આટલા વાગ્યે શૉ થશે ઑનએર
સલમાન ખાન
બિગ-બૉસ 14માં હાલ દર્શકોની રૂચિ ઘણી વધી રહી છે. સારા ગુરપાલના ઘરથી બેઘર થયા બાદ દર્શકોની દૃષ્ટિ એવા સ્પર્ધકો પર ટકી ગઈ છે, જે ખરાબ પર્ફોમન્સ આપી રહ્યા છે અને તેઓ પોતાની અસલી વાસ્તવિક્તા જાહેર નથી કરી રહ્યા. બીજા અઠવાડિયા માટે શૉ નિર્માતાઓએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 'બિગ બોસ 14' ના નવા પ્રોમો દ્વારા નિર્માતાઓએ ઘોષણા કરી છે કે આજે એપિસોડને 10:30 વાગ્યાને બદલે 10 વાગ્યે જ ઑનએર કરવામાં આવશે.
ADVERTISEMENT
બિગ-બૉસનો નવો સરપ્રાઈઝ
બિગ-બૉસ 14ના આ નવા પ્રોમોમાં હિના ખાન, નિક્કી તંબોલી અને જાસ્મિન ભસીનના ફૅમસ ફૂટેજની સાથે જોડીને મેકર્સે આ વાત કહેવાનો પ્રયત્ન કર્યો છે કે આ વખતનો એપિસોડ વધુ ધમાકેદાર રહેવાનો છે. 'બિગ બૉસ 14' ની ઘોષણા દરમિયાન સલમાન ખાને પહેલેથી જ કહ્યું હતું કે 'ઈસ બાર સીન પલટેગા. તો કદાચ મેકર્સ દર અઠવાડિયે કંઈક એવું જ જાહેર કરે. હમણાં સુધી, શુક્રવારનો એપિસોડ રાત્રે 10 વાગ્યે પ્રસારિત થશે તે અંગે કોઈ સ્પષ્ટ કારણ નથી. વળી, તે સ્પષ્ટ થયું નથી કે ભવિષ્યમાં પણ આવું થશે કે નહીં.
પવિત્રા અને એજાઝ વચ્ચે રોમાન્સ
તાજેતરમાં જ પવિત્રા પુનિયાએ તેના મનમાં એજાઝ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો. પવિત્રા રૂબીના સાથે એજાઝ સાથેના તેના બંધન અંગે વાત કરતી જોવા મળી હતી. એવું લાગે છે કે તેમની વચ્ચે રોમાન્સનો સમયગાળો ચાલી રહ્યો છે. જોકે, પવિત્રા રૂબીનાને કહે છે કે તે એજાજને પસંદ કરે છે અને તેનામાં એકલતા જુએ છે. તે એમ પણ કહે છે કે તે એકપક્ષીય રિલેશનશિપમાં રહી શકતી નથી અને તે એજાઝમાં પોતાના પ્રત્યે પ્રેમ જોઈ શકતી નથી. હવે ફક્ત 'બિગ બૉસ 14'નો આગળનો એપિસોડ જ કહેશે કે આ પ્રેમ પ્રસંગ કેટલો આગળ વધશે.