Bigg Boss 13: શૉમાંથી બહાર આવીને દેવોલીના પર વરસ્યા અબૂ મલિક, કહ્યું...
'બિગબૉસ 13'માંથી આ અઠવાડિયો અબૂ મલિકે ઘરને અલવિદા કહી દીધું છે. જો કે, આ અઠવાડિયે ડબલ એલિમિનેશન થવાનું હતું, પણ સલમાન ખાને છેલ્લી ઘડીએ જણાવ્યું કે ઘરમાંથી બે નહીં પણ કોઇ એક સભ્ય બેઘર થશે, અને અબૂ મલિક ઘરમાંથી બેઘર થઈ ગયા. ઘરમાંથી બહાર આવ્યા પછી અબૂએ બિગબૉસમાં પોતાના અનુભવો વિશે વાત કરી. સ્પૉટબૉય સાથે વાતચીત દરમિયાન જણાવ્યું તે કોણ ઘરમાં સ્ટ્રૉન્ગ કન્ટેસ્ટન્ટ છે અને તેના પ્રમાણે કોણ શૉનો વિનર બની શકે છે. સાથે જ અબૂએ દેવોલીના પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
અબૂએ જણાવ્યું તે, "ઘરની અંદર મને ઘણું સારું લાગ્યું. મને લાગ્યું કે હું ઓછામાં ઓછું ફિનાલે સુધી તો આવી જઈશ, પણ એવું ન થયું, મને ખરાબ લાગ્યું પણ હવે શું થઈ શકે છે. હાં ઘરમાં મને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે બોલાવવામાં આવે તો હું જરૂર જવા માગીશ પણ મને નહીં બોલાવવામાં આવે મને વિશ્વાસ છે. અબૂએ કહ્યું સિદ્ધાર્થ શુક્લા, શેહનાઝ અને પારસ સૌથી સરસ ગેમ રમી રહ્યા છે તે ખરેખર છેલ્લે સુધી જશે. તો રશ્મિ દેસાઇ, દેવોલીના, આરતી, માહિરા અને શેફાલી ઘરમાં કંઇ નથી કરતા, આ લોકો પોતાની પહેલાની પૉપ્યુલારિટી પર જ ગેમ રમે છે. આ લોકો ફક્ત લડાઇ કરે છે કારણકે તેમની પાસે આ સિવાય બીજી કોઇ રમત નથી."
આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!
એક ટાસ્કમાં દેવોલીના દ્વારા ટૉર્ચર કરાયેલા ટાસ્ક વિશે જણાવતાં અબૂએ કહ્યું કે. "તે ટાસ્કમાં અમારી પાસે પોતાને સેફ કરવાની તક હતી. મને લાગ્યું કે આસીમ ઘરથી બેઘર થવાને લઈને ખૂબ જ ઇન્સિક્યોર છે અને પરેશાન પણ, જો કે હું જરાપણ ઇન્સિક્યોર ન હતો. આસીમને જોઇને મેં નક્કી કરી લીધું તે હું ટાસ્કમાં સંપૂર્ણ જીવ રેડી દઇશ જેથી આસીમ નૉમિનેશનમાંથી બહાર આવી શકે. બઘાંને લાગ્યું કે હું સરળ ટાર્ગેટ છું એટલે મને ટૉર્ચર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું."