બેસ્ટ ઍક્ટર બનવું એ જ મારો એજન્ડા છે : રણવીર સિંહ
સિમ્બા એક્ટર રણવીર સિંહ
રણવીરે એક જ વર્ષમાં ‘પદ્માવત’ અને ‘સિમ્બા’ એમ બે હિટ ફિલ્મો આપી છે, જેનો બિઝનેસ ૫૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ છે. આ સફળતા વિશે પૂછતાં રણવીરે કહ્યું હતું કે ‘આ વિશે વાત કરવી મને પસંદ નથી. આ વિશે ચર્ચા શરૂ થાય ત્યારે લોકો પૈસાની વાત કરે છે અને એ સમયે મને મારું માથું ખંજવાળવાનું મન થાય છે. મને લાગે છે કે મારે હવે પોતાને આ બધી વાતોથી પહેલાં કરતાં વધુ દૂર રાખવાની જરૂર છે. હું મૂળ સ્થાનથી ખસી રહ્યો હોય એવું મને લાગી રહ્યું છે. મને નથી ખબર એની અસર મારા પર શું પડશે, કારણ કે મારી વિચારસરણી એક ચોક્કસ પ્રકારની છે. અત્યાર સુધી મારા માટે એ યોગ્ય રહી છે. મારા કામ પ્રત્યે મારી જે નિષ્ઠા છે એ જ રીતે હું ભવિષ્યમાં પણ કામ કરવા ઇચ્છું છું. મારે એવી એક પણ ફિલ્મને પસંદ નથી કરવી જેને હું એકદમ પ્રામાણિકપણે પસંદ ન કરી શકું. જો હું એવું કરતો થઈ ગયો તો સમજી લેવું કે મારી અંદર રહેલો ઍક્ટર મૃત્યુ પામ્યો છે.’
આ પણ વાંચો : ફિલ્મસિટીમાં ભારતના સેટ પર સલમાન માટે બન્યું જિમ
ADVERTISEMENT
બૉક્સ-ઑફિસની વાત કરતાં રણવીરે કહ્યું હતું કે ‘મારે આ નંબર ગેમથી પણ દૂર રહેવું છે. મારે મારા ઍક્ટિંગ અને સિનેમા પ્રત્યેના પ્રેમને પ્રોટેક્ટ કરવો છે. હું મારા કેટલાક નૈતિક વિચારોને ફૉલો કરતો આવ્યો છું અને એથી જ આજે જ્યાં છું ત્યાં પહોંચ્યો છું. આ ફિલ્મ ૩૦૦ કરોડનો બિઝનેસ કરશે એને ધ્યાનમાં રાખીને પણ મારે કોઈ ફિલ્મની પસંદગી નથી કરવી. મારા માટે નંબર ગેમ મહkવની નથી. મારે મારાથી શક્ય હોય એટલા લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવું છે. હું એક એન્ટરટેઇનર છું અને બેસ્ટ એન્ટરટેઇનર બનવા માગું છું. આ મારો એજન્ડા છે અને મારી મહત્વાકાંક્ષા છે.’